@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ
ગોઘરાનાં દાઉદી વ્હોરા સમાજનાં મૌલાના આમીર અને વ્હોરા સમાજનાં આગેવાનો દ્વારા હાજી મો.હનીફ કલંદર (ભાણા) અને તેમની ટીમને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકારણ / PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી
કોરોનાની મહામારીમાં આ કોરોના વોરિયર્સ દિવસ-રાત પોતાની તેમજ પરિવારની પરવા કર્યા વગર દર્દીઓની સેવા તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં અગ્નિ સંસ્કાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે કોરોના મહામારીએ છેલ્લા એક વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં હડકં૫ મચાવી નાખ્યો છે. દુનિયાનો એક ૫ણ એવો ખુણો નથી કે જયાં વાયરસનું સંક્રમણ ન ફેલાયું હોય. આ વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોનાં જીવ લીધા છે. ત્યારે ગોધરા શહેરમાં મુસ્લીમ સમાજનાં નવયુવાન હાજી મો.હનીફ કલંદર (ભાણા) અને તેમની ટીમએ વૈશ્વિક મહામારી કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓને સમાજનાં રીત રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર કરી અનોખો સેવાયજ્ઞ કરતા હતા, જેના કારણે આજ રોજ ગોઘરાનાં દાઉદી વ્હોરા સમાજનાં મૌલાના આમીર અને સમાજનાં આગેવાનો દ્વારા હાજી મો.હનીફ કલંદર (ભાણા) અને તેમની ટીમને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કર્યા હતા.