ગુજરાતભરમાં જ્યારે ખેડૂતો વચ્ચે પાક વિમા અને પાકમાં થયેલ નુકસાનનાં વળતર અને નુકસાનનાં સર્વેને લઇની રોષ જોવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને હળવદ તાલુકામાં આ મામલે પૂર્વે પણ અનેક વાર ગરમા ગરમી જોવામાં આવી છે. ત્યારે હળવદ કોંગ્રેસ અને મોરબીનાં હળવદમાં ખેડૂતો દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હળળવદ વૈજનાથ મહાદેવ મંદિરનાં પ્રાગણમાં આ સંમેલન દ્વારા ખેડૂતો પોતાની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરશે. મહાસંમેલનમાં કોંગ્રેસનાં યુવા નેતાહાર્દિક પટેલ પણ હાજર રહેશે. મહાસંમેલનમાં ખેડૂતોનો પાક વિમા, ખેડૂતોનાં દેવુ માફ જેવા મુદ્દા સાથે હળવદ કોંગ્રેસ પણ ખેડૂતો સાથે જો઼ડાઇ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.