નરેન્દ્ર મોદી ગુજરાત અને હિમાચલની જીતની બેઠકને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયાં હતાં. નરેન્દ્ર મોદી કહ્યું કે, આપણે ૨૦૧૯ની ચુંટણીને ધ્યાનમાં રાખીને જડો વધારે મજબુત કરવી પડશે, પાર્ટી બૂથનું લેવલ વધારે મજબુત કરવાની જરૂર છે.
ભારતીય જનતા પાર્ટીએ ભલે ભવ્ય વિજય મેળવ્યો હોય પણ મુખ્યમંત્રીને લઈને અવઢવ યથાવત છે. ગુજરાતમાં બેઠકો ઓછી છે જયારે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમલ હારી ગયાં છે. નરેન્દ્ર મોદી કહ્યું કે, ગુજરાતમાં મોટા ગજાના નેતાઓએ પાર્ટી છોડી દીધી. છતાંય પાર્ટી મજબુતી સાથે ઉભી રહી.
ચુંટણીમાં પાર્ટી કાર્યકર્તાઓએ આકરી મહેનત કરી. વડાપ્રધાન સંસદીય દળને સંબોધતાં એકજુથ રહેવાનો અને સરકારીની નીતિઓ લોકો સુંધી પહોચાડવા સંદેશ આપ્યો હતો. 182 બેઠકો ધરાવતી ભાજપને 99 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જયારે કોંગ્રેસે સહયોગીઓને ફાળે 80 બેઠકો આવી હતી.