પટના,
બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના મામલે એક સનસનાટી ભર્યો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ બળાત્કાર મામલે POCSO કોર્ટમાં જે આરોપો પત્ર દાખલ કર્યું છે, એમાં આ મહત્વના ખુલાસા થયા છે.
કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આં શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.
Muzaffarpur Shelter Home case: CBI has collected evidence from Bihar police in connection with the case. CBI had sent a special crime team from Patna to Muzaffarpur yesterday.
— ANI (@ANI) July 30, 2018
ચાર્જસીટમાં લેવામાં આવ્યા ૩૨ પીડિત છોકરીઓના નિવેદન
પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલી આ ચાર્જસીટમાં ૩૨ પીડિત છોકરીઓના નિવેદન લીધા હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિત છોકરીઓએ પોતાના ઉપર કેટલાક મહિનાઓ સુધી યૌન શોષણ અને ટોર્ચર થયા હોવાનું પણ જણાવાયું છે.
આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.
કોણ છે મુખ્ય ત્રણ આરોપી ?
પોલીસની ચાર્જસીટમાં છોકરીઓના એ નિવેદન અંગે પણ જણાવવામાં આવ્યું છે, જેમાં તેઓને ૩ લોકો અંગે જાણકારી આપી હતી. પીડિત છોકરીઓનું કહેવું છે કે, આ ત્રણ લોકોમાં એક જાડા નેતા જિ, મૂંછ વાળા અંકલ અને હંટરવાળા અંકલ શામેલ છે.
આ ઘટના ક્યારે સામે આવી ?
આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૩૨ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.
જો કે ત્યારબાદ વિપક્ષના હુમલા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલાની તપાસ CBIને સોંપી હતી અને CBIએ કેસ પણ દાખલ કર્યો હતો.
