વિવાદ/ ખેડાની શાળામાં નવરાત્રીના ગરબાનું આયોજન, વિધર્મી બાળકોએ હુસૈન યા હુસૈનના લગાવ્યા નારા

મુસ્લિમ ગ્રુપ દ્વારા હાથજ લખેલી ટીશર્ટ પહેરીને નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈ હિન્દુ સંગઠનો સને ગ્રામ જનોના રોષ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
Untitled 4 8 ખેડાની શાળામાં નવરાત્રીના ગરબાનું આયોજન, વિધર્મી બાળકોએ હુસૈન યા હુસૈનના લગાવ્યા નારા
  • ખેડાઃ હાથજ ગામમા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ
  • વિધર્મી બાળકોએ હુસૈન યા હુસૈનના લગાવ્યા નારા
  • શાળામાં નવરાત્રીના ગરબાનું કરાયું આયોજન
  • મુસ્લિમ ગ્રુપ હાથજ લખેલી ટીશર્ટ પહેરી લગાવ્યા નારા
  • હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન
  • આચાર્ય, બિનહિંદુ શિક્ષકો પર લગાવ્યા આક્ષેપો
  • બિન હિન્દુ શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવાની માંગ

ખેડાના હાથજ ગામમાં આવેલી શાળામાં બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવરાત્રીના આયોજનમાં શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ગરબા રમવા માટે પહોંચ્યા હતા. ત્યાં જ વિધર્મી યુવકો દ્વારા હુસેન યા હુસેન ના નર લગાવવામાં આવ્યા હતા. અને ગરબાની જગ્યાએ તાજિયાનું મ્યુઝિક  વાગવા લાગ્યું હતું.

મુસ્લિમ ગ્રુપ દ્વારા હાથજ લખેલી ટીશર્ટ પહેરીને નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈ હિન્દુ સંગઠનો સને ગ્રામ જનોના રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. અને સમગ્ર ઘટના હિન્દુ સંગઠન સુધી પહોંચી હતી. હિન્દુ સંગઠન દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે.

આ અંગે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રાજન ત્રિપાઠીએ જણાવ્યુ કે, હાથજ ગામની શાળામાં એક દિવસીય ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો. પ્રાથમિક શાળામાં ત્યાં છોકરાઓ ગરબા રમતા હતા. ડીજેનો કાર્યક્રમ ચાલતો હતો. માતાજીના ગરબા ચાલતા હતા. અચાનક ગરબા બંધ કરાયા. કારણકે ત્યાં અમુક વિધર્મી શિક્ષકો પણ છે. એમાં અમને કોઈ વાંધો નથી કે વિધર્મી શિક્ષકો છે. પરંતુ અમને વાંધો એ છે કે માં અંબેના ગરબા ચાલતા હતા, ત્યાં અચાનક ગરબા બંધ કરાવીને અને વિધર્મીએ એમના પોતાના ધર્મના સૂત્રો બોલાવડાવ્યા અને એમના ધર્મની ટીશર્ટ એમના ચિન્હ વાળી ટીશર્ટ છોકરાઓને આપી અને એવું કહ્યું કે જો તમે આ ટીશર્ટ પહેરીને ગરબા કે સૂત્રો નહીં બોલો તો તમને નાપાસ કરીશું. સ્કૂલમાં નહીં આવવા દઈએ. જો કે શાળા અભ્યાસ કરતાં નાના બાળકો ગભરાઈ ગયા હતા. અને તાજીયા કર્યા અને સૂત્રો બોલ્યા. વિધર્મીઓના સૂત્રો બોલ્યા હતા.

તંત્ર તપાસ કરે અમારે બીજો કોઈ વિરોધ નથી. બસ અમારો એક જ માંગ છે કે માં અંબાનો જ્યારે પર્વ ચાલતો હોય, નવરાત્રિ ચાલતી હોય ત્યારે વિધર્મીઓ એમના ધર્મના સૂત્રો અમારા હિન્દુ છોકરાઓ જોડે બોલાવવાનું કારણ શું? આજ વિરોધ છે અમારો”

અત્રે ઉલ્લેખનીય છે કે, હાથજ ગામમાં સૌથી વધારે વસ્તી લઘુમતી સમાજની છે. તેવામાં સરકારી શાળામાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે તાજીયાનું મ્યુઝિક વગાડી તાજીયા રમાડવામાં આવતા સાથે જ સુત્રોચ્ચાર બોલવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેને લઈને યોગ્ય તપાસ કરવાની માંગ હિન્દુ સંગઠન દ્વારા કરવામા આવી છે. ગ્રામજનો પણ બિન હિન્દુ શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો કરવામા આવ્યા છે.