Gandhinagar News/ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે 17 તાલુકાઓમાં થઈ મેઘમહેર

ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે રાજ્યમાં કુલ 17 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. આ 17 તાલુકામાં ભાવનગરના તળાજા અને નવસારીના ખેરગામ તાલુકામાં એક ઇંચથીવધારે વરસાદ વરસ્યો હતો. બાકીનામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

Gujarat Gandhinagar Ahmedabad Breaking News
Beginners guide to 2024 08 20T111550.779 ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે 17 તાલુકાઓમાં થઈ મેઘમહેર

Gandhinagar News: ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે રાજ્યમાં કુલ 17 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. આ 17 તાલુકામાં ભાવનગરના તળાજા અને નવસારીના ખેરગામ તાલુકામાં એક ઇંચથીવધારે વરસાદ વરસ્યો હતો. બાકીનામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

આમ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લાના નવસારી, ખેરગામ, જલાલપોર અને ભાવનગર જિલ્લાના તળાજા ઉપરાંત પંચમહાલના શેહરા, ડાંગ ડાંગ-આહવા,વઘાઈ, તાપીના વાલોદ અને ડોલવણ તથા વ્યારા, વલસાડના કપરાડા, અમરેલીના ખાંબા, રાજકોટના ગોંડલ,સાબરકાંઠાના ઇડર, બોટાદના રાનપુર, વલસાડના ધરમપુરમાં વરસાદ પડ્યો હતો. આ વખતે ઓગસ્ટમાં વરસાદ હજી જોઈએ તેટલો થયો નથી. રાજ્યમાં સીઝનનો કુલ 70 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે.  કચ્છ પછી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડ્યો છે.

આજે હવામાન વિભાગ દ્વારા તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આજે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના, સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મઘ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ દક્ષિણ ગુજરાત અને મઘ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વતંત્રતાની ઉજવણીના રંગમાં પડશે ભંગ, હવામાન વિભાગની હળવા વરસાદની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: સગીર છોકરીઓ માટે વરસાદ બન્યો વિલન, ભારે વરસાદ અને આર્થિક અરાજકતાના કારણે બાળ લગ્નના કિસ્સાઓ વધ્યા

આ પણ વાંચો: ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ