ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ@ રાજકોટ
રાજકોટમાં બી-ડિવિઝન પોલીસ દ્વારા શંકાસ્પદ આયુર્વેદિક સીરપનાં વેંચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિવેક સાગર પાનની દુકાનમાં વેંચાતા શંકાસ્પદ સીરપનો જથ્થો કબ્જે કરાયો છે.સુનિંદ્રા અને સ્ટોન અરીષ્ઠા સહિતનાં સીરપની 1260 બોટલો જપ્ત કરાઈ છે.પોલીસ દ્વારારૂ. 1,61,300નો મુદામાલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલાયો છે.આ પીણાંની બોટલોમાં જોઆલ્કોહોલનું પ્રમાણ જોવા મળશે તો પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધાવામાં આવશે.રાજ્યમાં દારૂબંધી ના કાયદા ની વચ્ચે પણ રાજકોટમાં ખુલ્લમખુલ્લા આલ્કોહોલ વેચાણ થઈ રહ્યું છે.આયુર્વેદિક બિયરના નામે રાજકોટનું યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોવાનું મીડિયા દ્વારા સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી.અને કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી.
વિવેક સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે સુનિંદ્રા અને સ્ટોન અરીષ્ઠા સહિતનાં સીરપ વેચવામાં આવતા હતા. જેમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. જેને પગલે નશાનું સેવન કરનાર લોકો આ આયુર્વેદિક બિયરનું સેવન કરી રહ્યા હતા. જ્યાં જડી-બુટીના મિશ્રણથી નશેડીઓ સિગરેટ સાથે ખુલ્લેઆમ નશો કરી રહ્યા હતા.
હાલ બી-ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે વિવેક સાગર પાનની દુકાનના મનમીત ગામારાની દુકાનમાંથી બિયર જેવા પીણાંની 1260 બોટલો જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.1,61,300ના મુદામાલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. જો પરીક્ષણમાં આલ્કોહોલનું પ્રમાણ જોવા મળશે તો પ્રોહીબિશન હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…