@ભાવિની વસાણી ,રાજકોટ
રાજકોટના ધાર્મિક સ્થળોમાં અગ્રીમ સ્થાન ધરાવતા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા સેવાયજ્ઞો થતા રહે છે. આ ઉપરાંત આશ્રમ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિના સુધી કોરોના કાળ અંતર્ગત વિશ્વ કલ્યાણ અર્થે 108 કરોડ રામનામ જપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ રામનામ મંત્ર જાપના મહાઆયોજનને ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ શુભ સંદેશ સાથે અભિનંદન મોકલેલ છે. તેમજ આશ્રમની સેવા પ્રવૃત્તિઓને પણ તેઓએ પત્ર દ્વારા બિરદાવી છે જે બદલ આશ્રમના ટ્રસ્ટીઓએ પણ તેઓનો આભાર માન્યો છે.
પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ(શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ ),રાજકોટ દ્વારા વિશ્વ શાંતિ તથા વિશ્વ કલ્યાણાર્થે અને કોરોનો મહામારી માંથી મુક્તિ મળે એ નિમિતે 108 કરોડ રામ રામરામરામરામ મંત્રના જપયજ્ઞનું દશેરાથી ,તા.25.10.2020 થી શ્રી પતિત પવન ભગવાનશ્રી જન્મજયંતિ મહા સુદ -6,તા.17.02.2021 સુધી મહા આયોજન કરવામાં આવેલ છે. તથા લોકડાઉંનમાં આશ્રમ દ્વારા કરવામાં આવેલા માનવ સેવાના કર્યો બદલ આભાર વ્યકત કરેલ હતો ,જેનો પ.પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ ,રાજકોટ ખુબ ખુબ આભારી છે,જેમ નો સુંદર શુભ સંદેશ તથા અભિનંદન સાથે પત્ર અહીં દર્શાવવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….