અમદાવાદમાં એસ.જી.હાઈવે હોય કે આશ્રમ રોડ હોય કોર્પોરેટ સેક્ટરની મોટી કંપની અહીં પોતાની ઓફિસ ખોલવા આતુર હોય છે. જો કે કોરોના કાળે સ્થિતિ અપસાઈડ ડાઉન કરી નાખી છે. ન્યૂ નોર્મલમાં વર્ક ફ્રોમ હોમને પ્રાયોરિટી અપાય છે. ત્યારે ઓફિસ સ્પેસના લેવાલ ઘટી રહ્યાં છે. ભાડું ઘટ્યું છે. જો કે પ્રોપર્ટી રેન્ટ કરવા માટે આ જ સૌથી યોગ્ય હોવાનું નિષ્ણાતો માને છે.
- કૉમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં કડાકો
- અમદાવાદના પ્રાઈમ એરિયામાં પણ ઘટાડો
- 15થી 20 ટકા સુધી ઘટ્યાં પ્રોપર્ટીના ભાવ
- ઓફિસ સ્પેસ આપી રહ્યાં છે સસ્તા ભાડે
કોરોનાકાળમાં માણસની જીવવાની પદ્ધતિ જ જાણે બદલાઈ ગઈ છે. ભરચક ઓફિસને બદલે હવે ઘરેથી કામ કરવાની પદ્ધતિ સામાન્ય થઈ ગઈ છે. તેવામાં સૌથી મોટી અસર મોટા શહેરોની ઓફિસ સ્પેસને પડી છે. ઓફિસ સ્પેસના લેવાલ ઘટી રહ્યાં છે. પહેલેથી જ જે ઓફિસ ધમધમતી હતી તે પણ હવે ખાલી થવા લાગી છે. નવી ઓફિસ લેવામાં પણ લોકો નાની જગ્યાને જ પસંદ કરી રહ્યાં છે. તો ઓફિસ સ્પેસના ઓનર ઓછા ભાડે પણ ઓફિસ આપવા તૈયાર થઈ રહ્યાં છે. અમદાવાદના કોર્પોરેટ એરિયા તરીકે જાણીતા એસ.જી.હાઈવે, પ્રહલાદનગર, ઈસ્કોન, બોપલ, સિંધુભવન, આશ્રમ રોડ, સી.જી.રોડ જેવા પ્રાઈમ લોકેશનમાં પણ ઓફિસના ભાડામાં 15થી 20 ટકા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં ઘટાડા બાદ ભાવ સ્થિર થઇ ચૂક્યાં છે.
ઓફિસના સ્ટાફમાં ઘટાડાની પણ અસર જોવા મળી રહી છે. કૉર્પોરેટ પણ હવે ઓછા સ્પેસની ઓફિસ શોધી રહ્યાં છે. નિષ્ણાતોના મતે પ્રોપર્ટી રેન્ટ પર લેવાનો આ યોગ્ય સમય છે. હવે વધુ ભાવ ઘટવાની સંભાવના ઓછી છે.
જો કે રિયલ એસ્ટેટના નિષ્ણાતોના મતે ખર્ચમાં ઘટાડો કરવા નાની ઓફિસ લેવાનું વગેરે થોડો સમય જરૂર ચાલશે. પણ હવે ભાવ આનાથી વધુ ઘટવાની સંભાવના નથી. 3થી 6 મહિનાના ગાળામાં બધુ જ સામાન્ય થવાની આશા વચ્ચે ફરીથી ભાવ પણ ધીમે ધીમે વધવા લાગશે. ત્યાં સુધીમાં અત્યારે પ્રોપર્ટી રેન્ટ કરવાનો સૌથી ઉત્તમ સમય છે. હાલમાં અમદાવાદના તમામ પ્રિમિયમ લોકેશનમાં ઓફિસ સ્પેસ 35 રૂા. પ્રતિ ચોરસફૂટથી ઘટીને 27થી 30 રૂપિયાની વચ્ચે ભાડે અપાઈ રહી છે. જેમને આગામી સમયમાં જરૂરિયાત પડવાની છે તેમણે અત્યારે જ ઓફિસ ભાડે લઈ લેવી જોઈએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…