Education/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિષ્ઠાને લાગ્યું B ગ્રેડનું ગ્રહણ, નેકની ટીમનો ઇન્સ્પેક્શન બાદ નિર્ણય

સૌરાષ્ટ્ર ભરના વિદ્યાર્થીઓ માટે આશાસ્પદ ગણવામાં આવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિદ્ધિઓ કરતા વિવાદોમાં વધારે ચમકતી જોવા મળે છે. હવે આ યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ થાય તેવી હકીકત બહાર આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના

Gujarat
sau સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિષ્ઠાને લાગ્યું B ગ્રેડનું ગ્રહણ, નેકની ટીમનો ઇન્સ્પેક્શન બાદ નિર્ણય

સૌરાષ્ટ્ર ભરના વિદ્યાર્થીઓ માટે આશાસ્પદ ગણવામાં આવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિદ્ધિઓ કરતા વિવાદોમાં વધારે ચમકતી જોવા મળે છે. હવે આ યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ થાય તેવી હકીકત બહાર આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણીની મહેનતથી એ ગ્રેડ મળ્યો હતો. પરંતુ હાલ ગ્રેડ વગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી સ્ટાર પણ ચાલ્યા ગયા છે. ત્યારે કુલપતિ અને ઉપકુલપતિના ઝગડામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરુનું ધોવાણ થયું છે, રાજકોટમાં નેકની ટિમ 3 દિવસ માટે ઇન્સ્પેક્શનમાં આવી હતી, ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની A+ ગ્રેડ મેળવવાની યુનિવર્સિટીની આશા પર પાણી ફરી વળ્યું નેક દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને B ગ્રેડ આપવામાં આવ્યો છે.

Corona Virus / કોરોનાના સક્રિય કેસો આ બે રાજ્યોમાં વધારે, આરોગ્ય મંત્રાલયનું સતાવાર નિવેદન

હાલના સત્તાધિશોએ નેક એક્રેડીટેશનમાં ઉચ્ચ ગુણ મેળવવા એકમાત્ર ધ્યેય સાથે તડામાર તૈયારીઓ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના વિશાળ ઈન્ફાસ્ટ્રક્ચર, સંશોધન, પેટેન્ટ, પબ્લિકેશન દ્વારા દેશભરમાં નામના ધરાવે છે. ત્યારે હાલ યુનિવર્સિટીની હાલત થોડી કફોડી બની છે. નેક કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઐતિહાસિક સિદ્ધિરૂપ વારસો દર્શાવવાને બદલે ભૌતિક સુવિધાથી આંજી દેવાની નીતિ અપનાવી હોવાનું બહાર આવ્યું છે. શૈક્ષણિક સિદ્ધીના પ્રદર્શનને બદલે રંગરોગાન અને દેખાડો કરવા એક કરોડનું આંધણ કરી દીધું છે.આ મુદ્દે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, નેકની ટીમના સિનિયર ઇન્સ્પેકટરો રાજકોટ આવ્યા હતા ત્યારે એમને ઇન્સ્પેકશન દરમિયાન ખુશી વ્યક્ત કરી છે અને કેટલાક જરૂરી સૂચનો દર્શાવ્યા છે જે સુચનોને પ્રાધાન્ય આપી યુનિવર્સિટી દ્વારા એ વિષય પર જરૂર ફેરફાર કરવામાં આવશે. યુનિવર્સિટી વધુ સારી કેવી રીતે બની શકે તે માટે મુખ્ય સૂચનો કરવામાં આવતા હોય છે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ સારી બનાવવા નેકના તમામ સુચનો માન્ય રાખી યુનિવર્સિટી જરૂરી ફેરફાર અમે કરીશું.

Gujarat / 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, વડાપ્રધાન મોદીએ કહ્યું – થેંક્યું ગુજરાત

આ મુલાકાત દરમિયાન નેકની ટિમ દ્વારા અલગ-અલગ ભવનની મુલાકાત લેવામાં આવી હતી, એ દરમિયાન નેકની ટિમ દ્વારા યુનિવર્સિટીને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા.જો કે આ જવાબો આપવામાં યુનિવર્સિટીને ક્યાંક તકલીફ પડી હતી. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી શા માટે હોવાનું પૂછતાં, સત્તાધીશોએ વિચિત્ર જવાબ આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરજીયાત હાજરી છે માટે સંખ્યા ઓછી છે.યુનિવર્સિટીમાં નેકની ટીમે સ્પોર્ટ્સનું ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિહાળી ખુશ થઈ હતી. પરંતુ કેટલા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રૂચી લે છે, કેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યા, દરેક રમતના કોચ-એક્સપર્ટ છે કે કેમ? આ બાબતોમાં યુનિવર્સિટીના નબળાઈ છતી થઇ હતી.

Chamoli / ઉત્તરાખંડના ચમોલીમાં ગુમ થયેલાં 136 લોકોને રાજ્ય સરકારે મૃત જાહેર કર્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…