મતગણતરી/ અમદાવાદ મનપાની મતગણતરી દરમિયાન હોબાળો, જાણો કયા નેતાની થઇ પોલીસ સાથે બબાલ?

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે.

Ahmedabad Gujarat
અલ્પેશ 32 અમદાવાદ મનપાની મતગણતરી દરમિયાન હોબાળો, જાણો કયા નેતાની થઇ પોલીસ સાથે બબાલ?

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે. આજે સવારે 8 વાગ્યાથી રાજ્યની તમામ 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી શરુ થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગ દર્શિકા અનુસાર આ 6 મનપાની ગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, અમદાવાદ મનપાની મતગણતરી દરમિયાન હોબાળો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

મતગણતરી / રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા માટેે મત ગણતરી શરૂ, બેલેટ પેપર બાદ થશે EVM થી મત ગણતરી

જણાવી દઇએ કે, અમદાવાદ મનપાનાં પૂર્વ દંડક બિપિન સિક્કા અને પોલીસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. જે દરમિયાન પોલીસનો અન્ય સ્ટાફ અને ભાજપનાં કાર્યકર્તાઓએ સમગ્ર માથાકૂટને વળાંક આપવાનો પ્રયત્વ કર્યો હતો. સમગ્ર મામલો પ્રિમાઇસિસમાં એન્ટર થવાને લઇને શરૂ થયો હતો. જો કે હાલમાં અહી શાંતિ બનાવી રાખવામાં પોલીસ સફળ રહી છે. જણાવી દઇએ કે, બિપિન સિક્કા સરદારનગર વોર્ડના કાઉન્સિલર છે.

મતગણતરી: વડોદરા બાદ રાજકોટમાં પણ મતગણતરી દરમિયાન થયો હોબાળો

આપને જણાવી દઇએ કે, 6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું. અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 575 બેઠકોની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ