1987-88 થી, 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી વિશ્વમાં HIV અને એઇડ્સ સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવી શકાય, ખાસ કરીને બાળકો અને કિશોરોમાં કારણ કે જીવનનાં મહત્વનાં સમયમાં જો તેઓ આ તબક્કામાં જાગૃત હશે તો તેઓ ભવિષ્યમાં ઘણી સ્વાસ્થ્ય અને સામાજિક સમસ્યાઓ ટાળી શકશે. જણાવી દઇએ કે, HIV નાં પ્રારંભિક દર્દીઓમાં મોટી સંખ્યામાં યુવાનો સામેલ હતા.
આ પણ વાંચો – Vaccination / અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ
1 ડિસેમ્બરને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વને આ રોગ સામે એક થઈને લડવાની તક આપે છે. એઇડ્સ એવો પહેલો રોગ હતો જેના માટે 1988માં સમગ્ર વિશ્વએ એકસાથે રહેવા માટે 1 ડિસેમ્બરનો દિવસ પસંદ કર્યો હતો. એઇડ્સને શરૂઆતમાં સમલૈંગિક પુરુષોનો રોગ માનવામાં આવતો હતો અને તેને GIRD (Gay-Related Immune Deficiency) એટલે કે સમલૈંગિક લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો અભાવ માનવામાં આવતો હતો. આ રોગને વર્ષ 1982માં AIDS નામ આપવામાં આવ્યું હતું. 29 એપ્રિલ, 1984નાં રોજ, અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમેનિટીએ એઇડ્સનાં કારણ તરીકે રેટ્રોવાયરસની જાહેરાત કરી, જેને પાછળથી HIV (Human Immunodeficiency Virus) નામ આપવામાં આવ્યું. HIV એ ચેપને કારણે મૃત્યુનું મુખ્ય કારણ છે. WHO નાં રિપોર્ટ અનુસાર, આ રોગનો પહેલો કેસ જે 1981માં સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 39 મિલિયન લોકો આ બીમારીનો શિકાર થઈ ચૂક્યા છે. આટલા લાંબા સમય દરમિયાન કરવામાં આવેલી વૈજ્ઞાનિક શોધો, વર્ષોથી ચાલી રહેલા સંશોધનો અને સમગ્ર વિશ્વમાં જાગૃતિ છતાં આ રોગનો કોઈ ઈલાજ શોધી શકાયો નથી. સરકાર 2024 (વિશ્વ એઇડ્સ દિવસ 2021) સુધીમાં દેશમાંથી એઇડ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો ઇરાદો ધરાવે છે. HIV-AIDS સામેની લડાઈને આગળ વધારવા માટે સરકારે નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) ની રચના કરી છે. આ સાથે દેશનાં કોર્પોરેટરો, જાણીતી હસ્તીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સામાન્ય જનતાનો પણ આ કાર્યમાં સહયોગ લેવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – New Variant / નવા વેરિઅન્ટનું નામ કેવી રીતે પડ્યું Omicron? જાણો શું છે તેનો અર્થ
AIDS HIV (વિશ્વ એઇડ્સ દિવસ 2021) નાં કારણે થાય છે. આ સિન્ડ્રોમમાં, શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે, જેના કારણે વ્યક્તિ સરળતાથી કોઈપણ ચેપ અથવા અન્ય રોગનો શિકાર બની જાય છે. કેટલાક સરળ ઉપાયો અપનાવીને આ ગંભીર બીમારીથી બચી શકાય છે.
ગર્ભાવસ્થા
HIV સંક્રમિત સગર્ભા સ્ત્રીમાંથી તેનુ બાળક HIV સંક્રમિત થઈ શકે છે. આ સિવાય HIV વાયરસ સ્તનપાન દ્વારા પણ બાળક સંક્રમિત થઈ શકે છે. જો કે, જો માતા યોગ્ય દવાઓ લેતી હોય તો આ સંભાવના ઓછી થઈ જાય છે.
રક્તદાન દરમિયાન સલામતી
સ્વયંસેવક દાતાઓનાં રક્તનાં NAT ટેસ્ટ પછી કોઈને રક્ત આપવું એ HIV નાં ફેલાવાને રોકવાનો સલામત માર્ગ છે.
બોડી ફ્લૂડથી બચો
કોઈપણ અન્ય વ્યક્તિનાં લોહી અથવા શરીરનાં અન્ય ફ્લૂડથી દૂર રહો, જો તમે તેના સંપર્કમાં આવો છો, તો તુરંત જ ત્વચાને ધોઈ લો. તેનાથી ઈન્ફેક્શનની શક્યતા ઓછી થઈ જાય છે.
HIV માટે કોઈ ઈલાજ છે?
એઈડ્સનો કોઈ ઈલાજ નથી અને હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. આ માટે એક જ ઉપાય છે. આમાં સલામત સેક્સનો સમાવેશ થાય છે. વંધ્યીકૃત સોયનો ઉપયોગ કરો.
નિવારણ એ ઈલાજ છે: વિશ્વ એઇડ્સ દિવસ પર, તમામ લોકો માટે HIV એઈડ્સ વિશે જાણવાની અને લોકોને આ અસાધ્ય રોગ વિશે જાગૃત કરવાની તક છે. જેથી આ ખતરનાક રોગને જડમૂળથી નાબૂદ કરી શકાય.