- જાડેજા લગ્નના બે-ત્રણ મહિના પછી ઝગડા થતાં અલગ થઈ ગયો
- બહેન રક્ષાબંધન માટે રાહ જોતી રહે છે, પણ રવિ આવતો નથી
- મારા પૌત્રનું મોઢું પણ જોયું નથીઃ અનિરુદ્ધસિંહ જાડેજા
જામનગરઃ રવિને (Ravindra Jadeja) ક્રિકેટર બનાવવાનો મને ઘણો અફસોસ છે. તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારુ હોત. આજે અમારો તેની સાથે કોઈ સંબંધ નથી. અમે તો જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં છીએ, આ શબ્દો છે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના. (Anirudhsingh Jadeja)
‘હું તમને સાચું કહું છું, મારો રવિ કે તેની પત્ની રીવાબા (Rivaba) સાથે કોઈ સંબંધ નથી. અમે તેમને બોલાવતા નથી અને તેઓ અમને બોલાવતા નથી. રવિના લગ્નના બે-ત્રણ મહિના પછી જ વિવાદો થવા લાગ્યા હતા. હાલ હું જામનગરમાં એકલો રહું છું, રવિન્દ્ર અલગ રહે છે. ખબર નહીં પત્નીએ તેના પર શું જાદુ ચલાવ્યો છે. મારે એક પુત્ર છે, મારું હૃદય બળીને રાખ થઈ ગયું છે. તેણે લગ્ન ન કર્યા હોત તો સારું થાત. જો તેને ક્રિકેટર ન બનાવાયો હોત તો સારું થાત. અમે આ સ્થિતિમાં ન હોત. તેની બહેન આજે પણ રક્ષાબંધને તેની રાહ જુએ છે.
તેમણે રવિન્દ્ર જાડેજા અને વહુ રીવાબા અંગેના સંબંધો પર પહેલી વખત મોડું ખોલ્યું હતું. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાને ક્રિકેટર બનાવવામાં તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાં જે પણ છે તે તેના પિતાના કારણે છે. હવે જ્યારે એક પિતા આ વાત કહે છે ત્યારે સમજાઈ જાય છે કે તેમની સ્થિતિ શું હશે.
તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમના પૌત્રનું મોઢું પણ જોયું નથી. આજે તેઓ પોતે તેમના પૌત્રનું મોઢું જોવા માટે તલસી રહ્યા છે, પણ હવે તેમને સંબંધ જ નથી. તે પોતે પણ મને જોવા આવતો નથી. આ જોઈ મને પોતાને પણ આશ્ચર્ય થાય છે જે સંતાનને અમે મોટો કર્યો તેનો અમારી સાથે આવો વ્યવહાર કેમ. આજે તેને મોટો ક્રિકેટર બનાવ્યાનું મને દુઃખ છે. હવે તો એમ જ થાય છે કે તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારુ. પોતાના સંતાનોની મહત્વાકાંક્ષા માટે જીવતા માબાપ માટે આ બનાવ એક મોટી ચેતવણી સમાન છે. તેઓએ પછી આ જ રીતે એકલા રહેવાનો વારો આવી શકે છે. તેની સાથે તે વાતનું પણ પ્રતિબિંબ પડે છે કે ક્રિકેટરોની ઝાકઝમાળ પાછળની દુનિયામાં તેમના અંગત સંબંધો ઘણા પાછળ છૂટી જતાં હોય છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ