ચૈત્રી નવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિની અષ્ટમી તિથિએ માં ગૌરી અને કન્યાની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વખતે મહાષ્ટમી 16 એપ્રિલ ઉજવવામાં આવશે.

જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિની મહાષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ્ય બનવા જય રહ્યો છે. આ શુભ યોગો 5 રાશિઓ માટે શુભ માનવામાં આવે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે. પ્રોપર્ટીથી પણ ફાયદો થઈ શકે છે.

કર્ક રાશિ

તમને તમારી કારકિર્દીમાં પ્રગતિની નવી તકો મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. દુશ્મનોના ષડયંત્રથી બચી શકશો. તમને ભેટ અને સન્માનનો લાભ મળશે. સુખદ પ્રવાસ પર જઈ શકો છો.

મકર રાશિ

નાણાકીય બાબતોમાં સુધારો થશે. કરિયરમાં તમને સારી તકો મળશે. પરિવારમાં ખુશીઓ આવશે.

મીન રાશિ

બેંક બેલેન્સ વધતું રહેશે. તમને દેવું અને ખર્ચમાંથી રાહત મળશે. કરિયરની સમસ્યાઓ દૂર થશે. પારિવારિક વિવાદો ઉકેલાશે.

ઉપાય

મહાષ્ટમીના દિવસે માતા ગૌરીને હલવો, પુરી અને ચણા ચઢાવો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને માતા ગૌતીના મંત્રોનો જાપ કરો.