વેટ લોસ કરવા માટે અમુક વખત લોકો એવી ભુલો કરે છે,જેનાથી વજન ઘટવાના બદલે વધી જાય છે. આવામાં વેટ લોસ કરવા માગતા હો તો પોતાની ભુલોને લઈને ચેતી જાવ.

મોટા શેહેરોના લોકો કામમાં વ્યસ્ત રહેવાથી પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપી શકતાં નથી. અનહેલ્દી અને ખરાબ ખાનપાનથી વજન વધે છે સાથે બીમારીના પણ શિકાર થાય છે.

આવામાં વજન ઓછું કરવા માટે લોકો રૂટીન ફોલો કરે છે સાથે ડાઈટ, એક્સરસાઇઝ અને યોગાને જરૂરથી સમાવેશ કરે છે.

એવામાં અમુક લોકો જીમ જઈને કલાકો મેહેનત કરવાનું પસંદ કરે છે. પરંતુ ધણીવાર લોકોના ભુલોના કારણે ડાયટ ફોલો કરવાથી પણ વજન ઘટતું નથી.

કઈ ભુલોના કારણે ઘટવાને બદલે વધે છે, વજન?

અમુક લોકો એવું માને છે કે એક ટાઈમનું મિલ સ્કિપ કરવાથી જલ્દી વજન ઓછું થાય છે પણ આવી ધારણા ખોટી છે. વેટ લોસ કરવા માટે ક્યારે પણ બ્રેકફાસ્ટ સ્કિપ ના કરવું જોઈએ કારણ કે તેનાથી મેટાબોલિઝમ સ્લો થાય છે.

બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી

શરીરમાં પાણીની અછત

વેટ લોસ કરવાની સાથે હાઈડ્રેડ રેવું જરૂરી છે, સવારે 2-3 ગ્લાસ પાણી પિવાથી આખા દિવસ હાઈડ્રેડ રેવાની સાથે વજન ઓછું કરવામાં મદદ કરે છે. 

ખાનપાનમાં ગડબડ

અમુક લોકો આખો દિવસ સારી ડાયટ ફોલો કરે છે પણ દિવસની શરૂઆત કે અંત અનહેલ્દી વસ્તુઓથી કરે છે. જેના કારણથી તેમની ડાયટ ફોલો થતી નથી અને તેમની વેટ લોસ જર્ની અધૂરી રહી જાય છે.