ભારતીય મહિલાઓમાં કેટલીક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ખૂબ જ ચિંતાનું કારણ છે.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ

દર વર્ષે 8 માર્ચે મહિલાઓના અધિકારો, સમાનતા અને મહિલાઓ સામે હિંસા-દુરુપયોગ, મહિલાઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહિત આપવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.

ભારતીય મહિલાઓમાં કુપોષણ અને એનિમિયાનું જોખમ

PBIના રિપોર્ટ અનુસાર, વર્ષ 2015-16માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ NFHS-4 મુજબ, 22.9% મહિલાઓ (15-49 વર્ષની વયની) ઓછા વજનવાળા છે.

મહિલાઓમાં કુપોષણની ટકાવારી પાંચ રાજ્યોમાં સૌથી વધુ છે- ઝારખંડ (31.5%), બિહાર (30.4%), કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી (28.7%), મધ્યપ્રદેશ (28.4%), ગુજરાત (27.2%) અને રાજસ્થાન (27.2%)માં છે.

તેવી જ રીતે, ભારતમાં, 15 થી 49 વર્ષની વયની 57% સ્ત્રીઓ અને 6 મહિનાથી 59 મહિનાના વયની 67% બાળકો એનિમિયાનો શિકાર છે, જે ઘણી રીતે સ્વાસ્થ પર નકારાત્મક અસરો કરી શકે છે.

એનિમિયાનું વધતું જોખમ

એનિમિયા એ શરીરમાં રેડ બ્લડ સેલ્સની અછતની સમસ્યા છે, જે નબળાઈ, થાક જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે અને ચેતા અને શરીરના અન્ય અંગોને અસર કરે છે.

સ્ત્રીઓમાં કુપોષણની સમસ્યા

ઘણા અભ્યાસો અને સંશોધકોએ નિર્ણયક રીતે સાબિત કર્યું છે કે તંદુરસ્ત સ્ત્રીઓ વધુ સારી બૌદ્ધિક ક્ષમતાઓ સાથે તંદુરસ્ત બાળકોને જન્મ આપે છે. કુપોષણ માત્ર એક સમસ્યા નથી જે તેમના સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે, પરંતુ તે બાળકોના સ્વાસ્થ્યને પણ ઘણી રીતે અસર કરી શકે છે.

કેવી રીતે બચી શકાય?

તમારી ડિનરની પ્લેટમાં રંગબેરંગી શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, વિટામિન-બી અને પ્રોટીનનો સમાવેશ કરીને કુપોષણ અને એનિમિયા જેવી સમસ્યાઓથી બચી શકાય છે.