મીઠું આપણા ખાણી-પીણીમાં સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં મીઠાનો ઉપયોગ થાય છે. મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી, પરંતુ તે શરીર માટે પણ જરૂરી છે.
જો મીઠાનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, પરંતુ વધુ પડતા સેવનથી બીમારીઓ થઈ શકે છે.
WHO અનુસાર, વિશ્વમાં મોટાભાગના લોકો દરરોજ 9 થી 12 ગ્રામ મીઠું ખાય છે, જે સુરક્ષિત માત્રા કરતા ઘણું વધારે છે. જો મીઠાનું સેવન ઓછું કરવામાં આવે તો દર વર્ષે 25 લાખ મૃત્યુને અટકાવી શકાય છે.
તમામ પુખ્ત વયના લોકોએ દરરોજ 5 ગ્રામ મીઠું લેવું જોઈએ, જે 1 ચમચી કરતાં થોડું ઓછું છે. જ્યારે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ પુખ્ત વયના લોકો કરતા પણ ઓછું મીઠું ખાવું જોઈએ.
મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાના મીઠાના સેવન પર નિયંત્રણ રાખવું જોઈએ.
જંક ફૂડ અને નાસ્તામાં ઘણું મીઠું હોય છે, જેને ટાળવું વધુ સારું છે. ખોરાકમાં મીઠું ઓછું ઉમેરવું જોઈએ