12 મેના રોજ શનિનું નક્ષત્ર બદલાશે. આ દિવસે શનિ પુરભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુના નક્ષત્રમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે.

જ્યોતિષીઓ પ્રમાણે, પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો સ્વામી ગુરુ છે. તેથી આ નક્ષત્રમાં શનિનું સંક્રમણ ચાર રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે.

મેષ રાશિ 

મેષ રાશિના લોકોના અટકેલા કામ પુરા થશે. ખર્ચ ઓછો થશે. બેંક બેલેન્સ વધશે. સંબંધોમાં મધુરતા રહેશે. સાથે તમારા જીવનસાથી સાથે સુખદ પ્રવાસ પર જવાની તકો મળશે.

જો મેષ રાશિના લોકો રોકાણ કરવા માંગતા હોય તો આ સમય ઘણો અનુકૂળ છે. આ સમયગાળા દરમિયાન, તમને કેટલાક જુના રોકાણનો લાભ પણ મળી શકે છે.

મિથુન રાશિ

તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત વધવાના છે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના પણ છે.

સિંહ રાશિ

આવકમાં વધારો થશે. પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળશે. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે.

ધનું રાશિ

વેપારમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે. રોજગારની શોધ પૂર્ણ થવાની છે. સાથે નોકરીમાં તમને નવી જવાબદારી મળી શકે છે.