શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન? જાણો તેના પાછળની દંતકથા

ભારતમાં ગણપતિ વિસર્જન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં હજારો લોકો ભાગ લે છે.

પરંતુ શું તમે ગણપતિ વિસર્જન પાછળ એક પૌરાણિક માન્યતા વિશે જાણો છો? તો ચાલો જાણીએ

પુરાણો અનુસાર, મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારત લખવા માટે આહ્વાન કર્યું હતું. અને ગણેશજીએ તેમની પ્રાર્થના સ્વીકારી હતી.

પણ સાથે સાથે એક શરત પણ મૂકી હતી કે 'જ્યારે હું લખવાનું શરૂ કરીશ, ત્યારે હું કલમ બંધ કરીશ નહીં. જો કલમ બંધ થઈ જશે, તો હું લખવાનું બંધ કરીશ'.

વેદ વ્યાસજીએ આ શરત સ્વીકારી, અને આંખો બંધ કરી અને ગણેશજીને મહાભારત સંભળાવવાનું શરૂ કર્યું અને ગણેશજી તેને રોક્યા વિના લખતા હતા.

10 દિવસ પછી જ્યારે મહાભારત પૂર્ણ થયું, ત્યારે વેદ વ્યાસે જોયું કે ગણપતિજીનું તાપમાન ઘણું વધી ગયું છે.

ત્યારે વ્યાસજીએ ગણપતિજીનું તાપમાન ઘટાળા માટે તળાવમાં સ્નાન કરાવે છે. ત્યારથી ગણપતિ વિસર્જનની આ પ્રથા ચાલી રહી છે.