Not Set/ WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

World Trending
લગ્ન 4 WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

ચીનના વુહાન શહેરમાં કોવિડ -19 ની ઉત્પત્તિની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની ટીમને હજી સુધી કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી, પરંતુ સીએનએનએ એક અહેવાલમાં દાવો કર્યો છે કે તપાસકર્તા ટીમને આ પ્રકારના મળી આવ્યા છે કે ગત ડિસેમ્બર 2019 માં જ કોરોના વાયરસના વ્યાપક પ્રમાણમાં ફેલાવાના સંકેતો મળ્યા હતા.

અહેવાલમાં જણાવ્યા અનુસાર તપાસ ટીમે ચીનને હજારો લોકોના લોહીના નમુના તાત્કાલિક પૂરા પાડવા જણાવ્યું છે જેમને અત્યાર સુધી તપાસ કરવાની મંજૂરી નથી.

Image result for WHO TEAM CHINA

ડબ્લ્યુએચઓનાં મુખ્ય તપાસકર્તા પીટર બેન એમ્બાર્કે સીએનએન ઇન્ટરવ્યૂમાં આની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, અમને ખબર પડી ગઈ છે કે, 2019 માં વાયરસના ફેલાવાના સંકેતો ઘણા મોટા પાયે મળી રહ્યા છે.

ડિસેમ્બરમાં વુહાનમાં કોરોના વાયરસના ડઝનેક સ્ટ્રેન પહેલેથી હાજર હોવાની પણ પ્રથમ વખત પુષ્ટિ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં ચીનમાં પહોંચેલી ડબ્લ્યુએચઓ ટીમ લગભગ ચાર અઠવાડિયાથી કોવિડ -19 ફેલાવાનો પ્રારંભિક બિંદુ શોધવા માટે તપાસ કરી રહી છે.

કોરોના વાયરસથી ગ્રસ્ત પહેલા દર્દી સાથે પણ ટીમે મુલાકાત કરી હતી. ટીમના જણાવ્યા અનુસાર, આ 40 વર્ષીય કર્મચારીમાં કોઈજ ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહિ. ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ તે કોરોનાથી સંક્રમિત બન્યો હતો.

Image result for WHO TEAM CHINA

અમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2019 માં, યુનાઇટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ અજાણ્યા કારણોસર ચીનના વુહાનમાં ન્યુમોનિયાના કેસો વિશેના મીડિયા રિપોર્ટની નોંધ લીધી હતી. બાદમાં આ વાયરસના ફાટી નીકળવાની ઓળખ કોરોના વાયરસ તરીકે થઈ.

જોકે, જાન્યુઆરીની શરૂઆતમાં ચીને ડબ્લ્યુએચઓ સાથે વાયરસનો આનુવંશિક ક્રમ શેર કર્યો હતો.  પાછળથી, કોવિડ -19 ની ઉત્પત્તિનો અભ્યાસ કરનારા ઘણા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો કે વાયરસ સત્તાવાર રીતે જાણ થયાના ઘણા સમય પહેલા ચીનમાં ફેલાયો હતો.

તાજેતરમાં, વુહાનથી સ્વિટ્ઝલેન્ડ પરત આવેલા એમ્બાર્કે જણાવ્યું હતું કે તપાસમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બરમાં જ વુહાનમાં વાયરસ ફેલાયો હતો. જો કે, ડબ્લ્યુએચઓ ટીમે મંગળવારે કહ્યું હતું કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ પ્રાણીમાંથી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

Political / અમિત શાહ શ્રીલંકા અને નેપાળમાં પણ ભાજપ સરકાર બનાવવા માંગે છે : ત્રિપુરાના સીએમ બિપ્લબ દેબે

Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ