Amreli News/ અમરેલીના વડીયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક વધ્યો : ખેડૂતો દહેશતમાં

વડીયામાં જંગલનો રાજા હાવી બનીને ખેતર વિસ્તારોમાં ફરી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોના પશુઓના મારણ થતા ખેડૂતોમાં ભય ફેલાયો…

Gujarat Others Breaking News
Yogesh Work 28 અમરેલીના વડીયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક વધ્યો : ખેડૂતો દહેશતમાં

Amreli News : અમરેલીના વડીયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. ખાખરીયા ગામે ગત રાત્રે બાબુભાઇ ગોરસિયાના ખેતરમાં 3 સાવજોએ ધામા નાખી 5 પશુઓમાંથી ત્રણને મારી નાખ્યા હતા. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છવાયો છે.

ખેડૂતોનું કહેવું છે કે, જંગલનો રાજા હોવા છતાં સાવજો રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે અને ખેડૂતોના ખેતરોમાં ધામા નાખી પશુઓને મારી રહ્યા છે. આથી ખેડૂતો શિયાળુ વાવેતર અને પિયત માટે ખેતરોમાં જવામાં ડર અનુભવી રહ્યા છે.

આ ઘટનાનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડૂતના ખેતરમાં ડાલામથા ત્રણ ત્રણ સાવજો એ આવીને મારણ કર્યું અને ત્યાંથી પરત જતા હતા એ દરમ્યાન ખેડૂતોએ વિડિઓ પણ બનાવ્યો અને વનવિભાગને જાણ કરીને પંચરોજ કામ કરી ગયા હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને વળતર કેટલું અને ક્યારે મળશે એ જોવાનું રહેશે. ખેડૂતોની આ સમસ્યા સામે સરકારને ગંભીર બનવું જરૂરી છે. વન્યપ્રાણીઓને જંગલ તરફ મોકલવા અને ખેડૂતોને વળતર આપવાની માંગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી: ત્રીજા દિવસે વાતાવરણ પલટાયું, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: કચ્છ,અમરેલીમાં થયો કમોસમી વરસાદ,ખેડૂતોમાં સર્જાયો ચિંતાનો માહોલ

આ પણ વાંચો: અમરેલીઃ ધારીનો ખોડિયાર ડેમ છલકાયો, ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી આવ્યા પાણી, ડેમનો એક દરવાજો પોણો ફૂટ ખોલવામાં આવ્યો, ડેમમાં 600 ક્યુસેક આવક સામે 600 ક્યુસેક છોડાયુ,