અમદાવાદ,
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે તેની વીઝા પોલિસી કડક કરતાં હવે ભારતીયોનો કેનેડા જવાનો ક્રેઝ અચાનક વધ્યો છે.કેનેડાની નાગરિકતા સ્વીકાર કરી રહેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. આંકડાઓ કહે છે કે આ વર્ષે જ આ સંખ્યામાં આશરે 50 ટકા સુધીનો વધારો થઇ ગયો છે.
કેનેડામાં રહેતા ભારતીય લોકોએ મોટી સંખ્યામાં કેનેડામાં હમેંશા માટેની નાગરિકતા હાંસલ કરવાની દિશામાં પહેલ કરી છે. નાગરિકતા માટે અરજી કરનાર લોકોની સંખ્યામાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
કેનેડાના અધિકારીઓ દ્વારા કેટલાક આંકડા આપવામાં આવ્યા છે જે મુજબ આ સંખ્યામાં વધારો થયો છે. ઓક્ટોબર 2018 સુધી છેલ્લા 10 મહિનાના આંકડા મુજબ આશરે 15 હજાર ભારતીય લોકોએ કેનેડાની નાગરિકતા હાંસલ કરી લીધી છે. વર્ષ 2017ની તુલનામાં આ આંકડા આશરે 50 ટકા સુધી વધી ગયો છે. કેનેડાની નાગરિકતા હાંસલ કરવા માટે ઇચ્છુક ભારતીય લોકોની સંખ્યા જુદા જુદા દેશોના મામલે બીજા સ્થાને રહી છે.
ફિલિપાઇન્સ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ફિલિપાઇન્સના 15600 લોકો કેનેડાની નાગરિકતા હાંસલ કરવામાં આવી છે. ઓક્ટોબર સુધી આ આંકડા હાંસલ થઇ શક્યા છે. આંકડા દર્શાવે છે કે 30મી ઓક્ટબર સુધી છેલ્લા 10 મહિનાના ગાળામાં જ 1.39 લાખ કાયમ નિવાસી દ્વારા કેનેડાની નાગરિકતા હાંસલ કરી લીધી છે. આમાં ભારતીય લોકોની સંખ્યા 11 ટકાની આસપાસ રહી છે. આ પ્રાથમિક રીતે મળેલા આંકડા છે. અંતિમ આંકડા આના કરતા વધારે હોઇ શકે છે.
જો કે તે સંખ્યા વર્ષ 2015 ની તુલનામાં ઓછી છે. વર્ષ 2015માં રેકોર્ડ 28 હજાર ભારતીય લોકો દ્વારા કેનેડાની નાગરિકતા હાંસલ રવામાં આવી હતી. માઇગ્રેશન બ્યુરો કોર્પના એમડી અને ઇમિગ્રેશન લો સ્પેશિયાલિસ્ટ તલ્હા મોહાનીએ કહ્યુ છે કે ઓક્ટબર 2017 બાદ કેનેડાની નાગરિકતા હાંસલ કરવાની બાબત સરળ બની ગઇ છે. હવે કેનેડાની નાગરિકતા હાંસલ કરવા માટે પાંચ વર્ષ પૈકી ત્રણ વર્ષ સુધી કેનેડામાં રહેવાની જરૂર હોય છે. એક કેનેડિયન પાસપોર્ટ કોઇ વ્યક્તિને ટ્રેડ નેસનલ વીઝા આપવા માટે અરજી કરવા માટે લાયક હોય છે. જેમાં અમેરિકામાં કામ કરવા માટેની મંજુર મળી શકે છે. જો કે તે એચ-1બી ર્ક વઝાની જેમ હોય છે. એવા મોટી સંખ્યામાં લોકો છે જે કામ કરવાના હેતુથી દરરોજ કેનેડાથી અમેરિકા જાય છે.