દિલ્લી,
પોતાના શાનદાર અભિનયથી ચાહકોના મન પર રાજ કરનારી અને બોલીવુડના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી રહ્યા નથી. ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું છે. તેઓના નિધન બાદ બોલીવુડના દિગ્ગજો, રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા શ્રાદ્ધાંજલી આપવામાં આવી રહી છે પણ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા શ્રીદેવીના નિધનને લઇ કરવામાં આવેલા ટ્વીટ બાદ તે લોકોના રોષનો શિકાર બની રહી છે.
હકીકતમાં, કોંગ્રેસ પાર્ટી દ્વારા શ્રીદેવીના નિધન પર સંવેદના વ્યક્ત કરતા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, પરંતુ એમાં લખવામાં આવ્યું હતું કે, ૨૦૧૩માં યુપીએ સરકારના કાર્યકાળમાં આ અભિનેત્રીને “પદ્મશ્રી” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીઓ ટ્વીટર પર ખુબ ટ્રોલ થઇ રહી છે. અંતે કોંગ્રેસ દ્વારા આ ટ્વીટ ડિલીટ કરવું પડ્યું છે.
Also mention, she was born when Nehru was the prime-minister.
— Gabbar (@GabbbarSingh) February 25, 2018
લોકપ્રિય ટ્વીટર હેન્ડલ @Gabbar Singh દ્વારા કોંગ્રેસના ટ્વીટ અંગે જવાબ આપતા જણાવ્યું, તેઓ આ પણ મેન્શન કરે કે નહેરુ પ્રધાનમંત્રી હતા ત્યારે જ તેઓનો જન્મ થયો હતો.
Dear @OfficeOfRG you make an award sound like a favour granted. More importantly, #PadmaAwards is an honour given by the country (hence, @rashtrapatibhvn) to its citizen – not by any political party. Shows Congress' sense of entitlement. By this tweet you have insulted #Sridevi
— GhoseSpot (@SandipGhose) February 25, 2018
રાઈટર @ Sandip Ghoseએ લખ્યું, રાહુલ ગાંધી આપણે એવોર્ડને એ રીતે રજુ કરવામાં આવ્યો છે કે આપણે ફેવર કર્યો છે. પદ્મશ્રી એવોર્ડ નાગરિકોને દેશ દ્વારા આપવામાં આવે છે, ન તો કોઈ રાજકીય પાર્ટી દ્વારા. ટ્વીટથી તમે અપમાનિત કર્યાં છે.
https://twitter.com/TajinderBagga/status/967587354503294976
એક ટ્વીટ યુઝરે આ નાગે જણાવ્યું હતું કે, કોઈના નિધન પર તો કમ સે કમ રાજનીતિ ન કરો.
The humility of @INCIndia . It did not take credit for Sridevi living, eating and breathing in Congress ruled times. pic.twitter.com/wBx6WfPHQJ
— Vikas Saraswat (@VikasSaraswat) February 25, 2018
"She Was Awarded The Padma Shri By The UPA Govt In 2013". Are You Serious? Is That Line Even Necessary To Pay Tribute To A Legendary Actress? Please Stop Politicising The Death. You Guys Are Disgrace To Humanity. Shame On You Congress. #Sridevi #RIPSridevihttps://t.co/gdPHFEIWE4
— Sir Jadeja fan (@SirJadeja) February 25, 2018
મહત્વનું છે કે, બોલીવુડના અભિનેત્રી શ્રીદેવી તેઓના પતિ બોની કપૂર અને નાની પૂત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દુબઈ ગયા હતા પરંતુ શનિવારે રાત્રે અચાનક જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થયું હતું.
