Not Set/ વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ દેશ માટે છે એક મિશાલ : મધ્યપ્રદેશમાં PM મોદી

ઇન્દોર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મધ્યપ્રદેશની મુલાકાતે છે, ત્યારે તેઓ ઇન્દોરમાં દાઉદી વોહરા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હજરત ઈમામ હુસૈનની શહીદીના સ્મરણોમાં આયોજિત “અશરા મુબરકા” કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે વોહરા સમુદાયના ૫૩માં ધર્મગુરુ સૈયદના મુફદ્દુલ સૈફુદ્દીન પણ હાજર રહ્યા છે. Indore: Syedna Mufaddal Saifuddin, spiritual head of the Dawoodi Bohra community […]

Top Stories India Trending

ઇન્દોર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મધ્યપ્રદેશની મુલાકાતે છે, ત્યારે તેઓ ઇન્દોરમાં દાઉદી વોહરા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હજરત ઈમામ હુસૈનની શહીદીના સ્મરણોમાં આયોજિત “અશરા મુબરકા” કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે વોહરા સમુદાયના ૫૩માં ધર્મગુરુ સૈયદના મુફદ્દુલ સૈફુદ્દીન પણ હાજર રહ્યા છે.

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું, “વોહરા સમાજની દેશભક્તિ એક મિશાલ છે. તમારા બધાની વચ્ચે આવવું એ મને પ્રેરણા આપે છે. આ એક નવો અનુભવ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વોહરા સમાજના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ છે જયારે કોઈ પ્રવચન કાર્યક્રમમાં કોઈ વડાપ્રધાન હાજર થઇ રહ્યા છે. બીજી બાજુ મધ્યપ્રદેશની શિવરાજ સરકાર દ્વારા પણ સૈફુદ્દીનને રાજકીય મહેમાન તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું,

“અશરા મુબરકા”ના પવિત્ર અવસર પર તમે મને બોવાલ્યો, એટલા માટે હું તમારો આભારી છું.

વોહરા સમાજ હંમેશા શાંતિનો સંદેશો આપવા માટે કટિબદ્ધ રહ્યું છે.

દાઉદી વ્હોરા સમુદાયનાં કાર્યક્રમમાં હાજરી એ મારા માટે પ્રેરણાદાયી છે.

આપણને પોતાનાં અતિત પર ગર્વ છે.

વસુધૈવ કુટુમ્બની ધારણાં પર અમે કામ કરીએ છીએ.

ગુજરાતનાં વિકાસમાં વ્હોરા સમાજનો મોટો ફાળો રહ્યો છે.

દાઉદી વ્હોરા સમાજનો હું આભારી છું.

તમે મને જન્મદિવસ પહેલા આશીર્વાદ આપ્યા છે.

અમે વિશ્વને પરિવાર માનીયે છીએ.

વ્હોરા સમાજ લોકોને સાથે લઈને ચાલે છે.

વોહરા સમાજની ભૂમિકા રાષ્ટ્રભક્તિ માટે ખુબ મહત્વની રહી છે.

ધર્મગુરુઓ પોતાના પ્રવચનના માધ્યમથી પોતાની ધરતીની મહોબ્બતની વાતો કરતા હોય છે.

વોહરા સમાજ સાથે મારા નાતો ખુબ જુનો રહ્યો છે અને હું આ પરિવારનો સભ્ય છું.

હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પણ વોહરા સમાજ હંમેશા મારી સાથે હતો.

હું ઘણીવાર ધર્મગુરુઓને મળવા માટે સુરતના એરપોર્ટ પર પહોચ્યો હતો.

ગુજરાતમાં મારા દ્વારા જયારે જનતા માટે પાણીની ચિંતા કરવામાં આવી ત્યારે તેઓએ આ માટે કામ કરવાનું શરુ કરી દીધું હતું.

વોહરા સમાજ ઘણા પ્રકારના સ્વાસ્થ્ય માટે સમાજમાં મદદ કરે છે.

સરકાર દ્વારા પણ લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવામાં આવી રહી છે.

આયુષ્યમાન ભારત દ્વારા ૫૦ કરોડ લોકોને મેડિકલની સુવિધા મફતમાં મળશે.

અત્યારસુધીમાં વોહરા સમાજના લોકોએ અંદાજે ૧૧,૦૦૦ લોકોને પોતાનું ઘર આપ્યું છે,અમારી સરકાર પણ ૨૦૨૨ સુધી દેશના દેરક નાગરિકને પોતાનું ઘર આપવા માંગે છે.