સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. તેમજ દુનિયાના અજૂબાઓમાં પણ સામેલ થવાની છે. આનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા કરવામાં આવશે.

સરદાર પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ બનવામાં લગભગ 44 મહિનાઓનો સમય લાગ્યો. મૂર્તિ બનાવવામાં 800 સ્થાનિક અને 200 ચીની કારીગરોએ પણ કામ કર્યું છે.

મૂર્તિ નિર્માણ માટે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ઓક્ટોબર 2014માં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે આના નિર્માણમાં લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

આ કામને સમયરેખાની અંદર પૂરું કરવા માટે 4076 મજૂરોએ બે શિફ્ટમાં કામ કર્યું હતું. આ ખર્ચમાં 2332 કરોડ રૂપિયા પ્રતિમાના નિર્માણ માટે અને 600 કરોડ રૂપિયા 15 વર્ષ માટે પ્રતિમાની દેખ-સંભાળ માટે આપવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, સરદાર સરોવર નર્મદા ડેમ, હાઇવે અને હજારો કિમી નર્મદા નહેર બનાવનારા રાઠોડની દેખરેખમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખૂણે-ખૂણેથી લોખંડ એકત્ર કર્યું હતું. તેમજ 2013માં પ્રધાનમંત્રી મોદીએ જ આનો પાયો રાખ્યો હતો.
