જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જીલ્લામાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે. અહી થયેલા એનકાઉન્ટરમાં છ આતંકીનો ઠાર કરવામાં આવ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે અવંતિપોરામાં આરમપુરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી.
#UPDATE Jammu and Kashmir: Six terrorists killed in the ongoing encounter in Tral, Pulwama. Arms and ammunition recovered. Operation over. pic.twitter.com/FVwNhS85Q5
— ANI (@ANI) December 22, 2018
Exchange of fire between security forces & #terrorists at Arampora #Awantipora. Area under cordon. Details will follow. @JmuKmrPolice @AwantipoPolice
— Kashmir Zone Police (@KashmirPolice) December 22, 2018
ત્યારબાદ સેના, સુરક્ષાબળ અને પોલીસની ટીમે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. ધેરાઈ જવાને લીધે આતંકીઓએ જવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું. આ ઓપરેશનમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલા આ આતંકીઓ આતંકવાદી સંગઠન અંસાર ગજવત-ઉલ-હિન્દ સમૂહ સાથે જોડાયેલા છે અને મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકિર મુસાના નિકટતા ધરાવે છે.
આ ઠાર કરાયેલા ૬ આતંકીઓમાં અંસાર ગજવત-ઉલ-હિન્દ સમૂહનો ડેપ્યુટી ચીફ સોલલે મોહમ્મદ, રશિક અહેમદ, મીર રૂફ અહેમદ, ઉમર રમઝાન, નદીમ સૈફી અને ફૈસલ જાવેદ શામેલ છે.
Jammu and Kashmir: Encounter underway between terrorists & security forces in Tral, Pulwama. More details awaited. pic.twitter.com/z3IJ7mnAVR
— ANI (@ANI) December 22, 2018
હાલમાં મળેલા સમાચાર પ્રમાણે એનકાઉન્ટર પૂરું થઇ ગયું છે પરંતુ હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
તમને જણાવી દઈએ કે આની પહેલા પુલવામામાં થયેલ એનકાઉન્ટરમાં ૩ આતંકીનો સુરક્ષાબળ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ દ્વારા થયેલા એનકાઉન્ટરમાં આ વર્ષે ૨૫૦થી પણ વધારે આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે.
છેલ્લા આઠ વર્ષ પ્રમાણે આ આંકડો સૌથી વધારે છે.
