સરકાર દ્વારા લોકસભામાં 58 જૂના કાયદાને રદ કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ જુના કાયદા લોકો માટે અસુવિધા અને તકલીફોનો સ્રોત છે. વિપક્ષો દ્વારા સરકારન પર બિલ જલ્દીમાં મુકી, તેનાં પર સપ્રમાણ ચર્ચાનો સમય આપ્યા વિના જ બહુમતીના જોરે ધ્વનીથી પસાર કરવામાં આવ્યાનો આરોપ પણ મુકવામા આવ્યો હતો.

આર એસ પ્રસાદે કહ્યું કે મોદી સરકારે 1,458 જૂના અને પુરાન કાળનાં અધિનિયમને રદ કરી દીધી છે, અને 58 વધુ કાયદાઓને રદ કરવાના પગલાનો જ આ બાબતનો એક ભાગ છે. સરકારે વિપક્ષીનાં દાવાને પણ નકારી કાઢ્યો કે સભ્યોને બિલનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો, પ્રસાદે કહ્યું હતું કે બે દિવસની નોટિસ આપવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે પહેલેથી સર્વસંમતિ છે કે તે આ કાર્ય સારી બાબત છે. સભ્યો બિલ પર ચર્ચા કરી શકે છે કારણ કે તે હવે રજૂ થઈ રહ્યું છે.
કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે બિલ સલાહકાર સમિતિમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ મુખ્ય પક્ષોના સભ્યો છે. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે તેઓ આગલા રીતેથી ખાતરી કરશે કે સભ્યોને બીલ રજૂઆત પહેલાં બીલનો અભ્યાસ કરવાની બે દિવસની અવધિ મળે અને ઉમેરવામાં આવ્યું હતું કે હવે બ્રિટીશ યુગના કાયદાઓને તોડીને નવા કાયદાઓ સાથે બદલવું જોઈએ.

કેટલાક સભ્યોએ ભારતીય દંડ સંહિતા પણ બ્રિટીશ યુગ કાયદો છે. તેવુ કહી ટક્કોર સાથે ટીખ્ખળ કરી હતી. તો થરૂરે કહ્યું હતું કે હું જુના કાયદાને રદ્ કરવાનાં, કે એમેન્ડમેન્ટ કે કોઇ પણ સુધારા બિલનાં વિરોધમાં નથી. પરંતુ સરકાર દ્વારા બિલ મામલે કરવામા આવતી આટલી જલ્દબાજીનો વિરોધ કરુ છું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
