Not Set/ મુંબઈ/ ઘાટકોપરમાં ફેક્ટરીમાં લાગી આગ, બેનાં મોત, એક લાપતા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષની લાશ મળી આવી છે. એક વ્યક્તિ હજી ગુમ છે. આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે 15 ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો ગુમ થયેલ વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી […]

India

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષની લાશ મળી આવી છે. એક વ્યક્તિ હજી ગુમ છે. આગને કાબૂમાં લેવામાં આવી છે.

આગ પર કાબૂ મેળવવા માટે 15 ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો ગુમ થયેલ વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, આગ ત્રીજા સ્તરની છે અને તેના પર કાબૂ મેળવવા કલાકો સુધી મહેનત કરવી પડી હતી. આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ઘણા નાના કારખાનાઓ છે.

આગને કારણે મુંબઇ એરપોર્ટ પર કોઈ અસર થઇ નથી

ઘાટકોપર ખાતે ફેક્ટરીમાં લાગેલી આગને કારણે એક સમાચાર ફેલાયા હતા કે તેનાથી મુંબઈ એરપોર્ટની કામગીરીને અસર થઈ છે. જો કે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) એ આવા અહેવાલોને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે.

એમઆઈએએલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઘાટકોપરમાં આગને કારણે મુંબઇ એરપોર્ટના કામ પર અસર થઈ હોવાના અહેવાલો સાચા નથી. તમામ કામ રાબેતા મુજબ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.