Not Set/ આવતા વર્ષ સુધીમાં કોરોનાનાં કેસ સૌથી વધુ અને અર્થવ્યવસ્થા પૂરી રીતે થશે ધ્વસ્ત : યશવંત સિંહા

પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંત સિંહા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે નિશાન સાધવાની કોઈ તક ચૂકતા નથી. અટલ બિહારી વાજપેયીની આગેવાનીવાળી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સિંહાએ સોમવારે એક ટ્વિટમાં વ્યંગ્યાત્મ્ક અંદાજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસો અને અર્થતંત્રનાં પડી ભાગવા અંગે તેમણે જોરદાર ટીકા કરી છે. […]

India

પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંત સિંહા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે નિશાન સાધવાની કોઈ તક ચૂકતા નથી. અટલ બિહારી વાજપેયીની આગેવાનીવાળી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સિંહાએ સોમવારે એક ટ્વિટમાં વ્યંગ્યાત્મ્ક અંદાજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસો અને અર્થતંત્રનાં પડી ભાગવા અંગે તેમણે જોરદાર ટીકા કરી છે.

યશવંત સિંહાએ પોતાના ટ્વિટમાં લખ્યું – “ભારતીય લોકશાહીનાં ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરવા બદલ પીએમ મોદીને અભિનંદન. આગામી વર્ષ વધુ સારા થવાના વાયદાઓ કર્યા જ્યારે ભારત કોવિડ -19 કેસોમાં વધુ ઉપર જશે અને સમગ્ર અર્થવ્યવસ્થા પૂરી રીતે ધ્વસ્ત થઇ જશે. મહત્વનું છે કે, યશવંત સિંહા અગાઉ ભાજપમાં હતા, જેમણે 2018 માં પાર્ટી છોડી દીધી હતી. સિંહાએ તેમના ટ્વીટમાં આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેની સાથે વડા પ્રધાને તેમની બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર એક પત્ર લખ્યો હતો. તેમના પત્રમાં તેમણે લખ્યું હતુ કે, “આ દિવસે ગયા વર્ષે ભારતીય લોકશાહીનાં ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાયની શરૂઆત થઈ હતી. ઘણા દાયકા પછી દેશની જનતાએ પૂર્ણ બહુમત સાથે પૂર્ણ બહુમતીવાળી સરકારને મત આપ્યો હતો.” નોંધપાત્ર વાત એ છે કે સિંહા અગાઉ ભાજપ સરકારમાં નાણાં અને વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ વડા પ્રધાન મોદીની સરકાર અને તેની આર્થિક નીતિઓની ટીકા કરતા રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, 1.90 લાખથી વધુ કેસ સાથે, ભારત હવે કોરોનો વાયરસનાં મામલામાં વિશ્વમાં 7 માં સ્થાને પહોંચી ગયું છે. ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,90,535 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 5,394 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.