સુરત માંથી ઝડપાયેલા ટોસિલોઝુમેબ ઇન્જેક્શન બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નિશીત વ્યાસે જણાંવ્યું હતું કે, ટોસિલીઝુમેબનું કૌભાંડ બહાર આવતા અધિકારી એ ખુલસો કર્યો. પણ એમાં કોણ મુખ્ય માણસ છે એની સામે શુ પગલાં લેશે. પણ મુખ્યમંત્રી એવું કહેશે કે” મને ખબર નથી”. અત્યારે જે પકડાયા છે તે નાના માણસો છે, શું આ કૌભાંડના નાણાં કમલમમાં જાય છે. આ કૌભાંડમાં જે સૂત્રધાર હોય તેને પકડવો જોઈએ.
લાઈફ સેવિંગ ડ્રગ્સ મહત્વનું છે. આ દવા નાનામાં નાના માણસને મળવી જોઈએ. આ સરકાર ની જવાબદારી છે. જેટલા મૃત્યુ થયા તેની પર આ ઇન્જેક્શનનો ઉપયોગ થયો તો કે નહીં તેની પણ તપાસ કરવી જોઈએ. સરકારે ટોસિલીઝુમેબ જેવી દવા ઓ પર થી gst હટાવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
