કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ ‘નિશંક ‘, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો, રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી અને વિવિધ રાજ્યોના શિક્ષણ સચિવો વચ્ચે આજે ધો. 12 ના બોર્ડ ની મોકૂફ રખાયેલી પરીક્ષા અંગે વર્ચુઅલ ચર્ચા થઇ હતી. જે અનુસાર CBSE ની 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. જો કે, પરીક્ષાનું ફોર્મેટ બદલી શકાય છે. CBSE બોર્ડ દ્વારા પરીક્ષાઓની તારીખ અને પરીક્ષાની રીતની જાહેરાત 1 જૂન 2021 ના રોજ કરવામાં આવશે. તેવી જ રીતે, પ્રવેશ પરીક્ષાઓ JEE , NEET વગેરે પણ લેવામાં આવશે.
I thank all the Hon'ble Chief Ministers, Education Ministers, and officers associated with the world's largest education system for participating in the high-level meeting chaired by Hon'ble Minister of Defence Shri @rajnathsingh Ji. pic.twitter.com/i4e8p5lH90
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 23, 2021
રાજ્યોએ 25 મે સુધીમાં સૂચનો આપવાના રહેશે
આ સાથે, કેન્દ્ર સરકારે રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ બોર્ડ પરીક્ષાઓના આયોજનો અંગે વિગતવાર સૂચનો મોકલાવે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશંક ‘ ના કહેવા પ્રમાણે, “વડા પ્રધાનના નેતૃત્વ મુજબ બેઠક ખૂબ જ સકારાત્મક હતી અને અમને ઘણા મહત્વપૂર્ણ સૂચનો મળ્યા છે. અમે તમામ રાજ્યોને 25 મે સુધી તેમના વિગતવાર સૂચનો શેર કરવા અપીલ કરી છે”.
રાજ્યોને આપેલા બે વિકલ્પો
બેઠક દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યોને બે વિકલ્પો આપવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ મુજબ, ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ કેટલાક પસંદ કરેલા વિષયોની પરીક્ષા આપવાની રહેશે અને આ વિષયોમાં કામગીરીના આધારે બીજા બાકીના વિષયો માટે માર્કસ આપવામાં આવશે. તે જ સમયે, દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સૂચવેલા બીજા વિકલ્પ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ લઈ શકાય છે, પરંતુ પરીક્ષાની રીત બદલવી પડશે. તેમાં વિવિધ પ્રકારના પ્રશ્નોના પરંપરાગત 3 કલાકની જગ્યાએ 1.5 કલાકનું એક જ પેપર હશે અને તેમાં ફક્ત હેતુલક્ષી પસંદગીના પ્રશ્નો હશે. જોકે, દિલ્હીના શિક્ષણ પ્રધાને કહ્યું કે, અમે બંને વિકલ્પોનો વિરોધ કર્યો.
ઘણા રાજ્યોએ તેનો વિરોધ કર્યો
દિલ્હીના શિક્ષણ પ્રધાને બેઠક વિશે માહિતી શેર કરતા કહ્યું કે ઘણા રાજ્યોએ કોઈપણ પ્રકારની પરીક્ષા યોજવાનો વિરોધ કર્યો હતો અને આ રાજ્યો દ્વારા ‘શૂન્ય પરીક્ષા’ માંગ કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે આ રાજ્યોના મંતવ્ય છે કે બોર્ડની પરીક્ષાઓ તેમજ JEE અને NIIT પરીક્ષાઓ લેતા પહેલા તમામ વિધાર્થીઓને રસી અપાવવી જોઈએ.
બીજી તરફ મહારાષ્ટ્રના વર્ષા ગાયકવાડે મીટીંગ વિશે માહિતી શેર કરતાં કહ્યું કે, “આજની બેઠકમાં અમે ચર્ચા કરી હતી કે વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપવું એ આપણી પહેલી અગ્રતા છે. છેલ્લું વર્ષ વિદ્યાર્થીઓનું દુર્ભાગ્ય રહ્યું છે. કોવિડ -19 રોગચાળો અને તેની “બીજી તરંગ ચાલુ છે અને ત્રીજી તરંગ પણ આવે તેવી સંભાવના છે.”
The consultative process will be further strengthened through a high level meeting to be chaired by Hon’ble Defence Minister Shri @rajnathsingh Ji, also to be attended by my cabinet colleagues Smt. @smritiirani Ji and Shri @PrakashJavdekar Ji. (2/4)
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 22, 2021
All the State Government Education Ministers and Secretaries have been requested to attend this meeting and to share their valuable views with regards to upcoming examinations. This virtual meeting will take place at 11.30 AM on 23rd May, 2021. (3/4)
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 22, 2021
શિક્ષણમંત્રીએ માહિતી આપી
તે જ સમયે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાને ગઈકાલે, 22 મે 2021 ના એક ટ્વીટમાં માહિતી આપી. તદનુસાર, રાજ્ય સરકારના તમામ શિક્ષણ પ્રધાનો અને સચિવોને આ બેઠકમાં હાજર રહેવા અને આગામી પરીક્ષાઓ અંગે તેમના મંતવ્યો જણાવવા અનુરોધ કરાયો છે. આ વર્ચુઅલ મીટિંગ 23 મે, 2021 ના રોજ સવારે 11.30 વાગ્યે યોજાવાની હતી.
તમને જણાવી દઇએ કે આ પહેલા દેશના શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલની અધ્યક્ષતામાં આ વિષય પર એક બેઠક થઈ ચુકી છે, જેમાં રમેશ પોખરીયે તમામ રાજ્યોના સૂચનો માંગ્યા હતા. આ દરમિયાન તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સાથે જોડાવાની સૂચના આપવામાં આવી હતી.
