ઉત્તર પ્રદેશનાં સંત કબીરનગરનાં પૂર્વ સાંસદ અને ભાજપનાં નેતા શરદ ત્રિપાઠીનું નિધન થયું છે. તે 49 વર્ષનાં હતા. બુધવારે રાત્રે મેદાંતા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસો પહેલા તેમની તબિયત લથડતા તેમને મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. શરદ ત્રિપાઠીનાં પિતા રમાપતિ રામ ત્રિપાઠી દેવરિયાનાં સાંસદ છે.
યુરોપિયન યુનિયન / ભારતે યુરોપિયન સંઘના સભ્યો દેશોને કહ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી સ્વીકારે
2014 ની લોકસભાની ચૂંટણીમાં શરદ ત્રિપાઠી સંત કબીર નગર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. તેમના અવસાન પર, ઉત્તર પ્રદેશનાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યાએ ટ્વિટ કરીને લખ્યું છે કે – મારા મિત્ર પૂર્વ સાંસદ શરદ ત્રિપાઠીજીનાં દુઃખદ અવસાનનાં સમાચારથી હું નિઃશબ્દ છું, રાજ્યએ ભવિષ્યનાં એક મહાન નેતાને ગુમાવ્યા છે. વિનમ્ર શ્રદ્ધાંજલિ. ભગવાન તમને ચરણોમાં સ્થાન આપે, પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
मेरे मित्र पूर्व सांसद श्री शरद त्रिपाठी जी के दुखद निधन के समाचार से निःशब्द हूँ प्रदेश ने भविष्य के बहुत बड़े नेता को खो दिया है !!
।।विनम्र श्रद्धांजलि ।।
भगवान आपको चरणों में स्थान दें परिजनों समर्थकों को दुख सहने की शक्ति दें ॐ शांति pic.twitter.com/gYbYf8X0I2— Keshav Prasad Maurya (@kpmaurya1) June 30, 2021
ટ્વિટર વિવાદ / અમેરિકાના કોપીરાઇટ એકટ લાગુ કરો છો તો ભારતના કાયદાનું પણ પાલન કરો: મંત્રી રવિશંકર પ્રસાદ
ઉત્તર પ્રદેશ ભાજપનાં પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે પણ તેમના સાથીનાં વિદાય પર શોક વ્યક્ત કર્યો છેઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે, સંત કબીરનગરનાં પૂર્વ સાંસદ, ભાજપનાં વરિષ્ઠ નેતા શ્રી શરદ ત્રિપાઠીજીનાં નિધનનાં સમાચારથી આંચકો લાગ્યો. ભગવાન દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારનાં સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
संतकबीरनगर से पूर्व सांसद व भाजपा के वरिष्ठ नेता श्री शरद त्रिपाठी जी के निधन के समाचार से स्तब्ध हूं।
ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दे व परिजनों को यह दुःख सहने का संबल प्रदान करे।
ॐ शान्ति… pic.twitter.com/czk2gnOhk8
— Swatantra Dev Singh (@swatantrabjp) June 30, 2021
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, હું નિશબ્દ છું. લાગે છે કે શરદ હવે બોલશે, ‘ચલો દીદી વિસ્તારમાં કોઈ પ્રોગ્રામ કરવો પડશે’. ચાલ્યો ગયો, ભગવાનની ઇચ્છા હતી. ભગવાન શરદ ત્રિપાઠીનાં આત્માને શાંતિ આપે, પોતાના ચરણોમાં સ્થાન આપે.
मैं निशब्द हूँ । ऐसा लगता अभी बोल उठेगा शरद ‘ चल दीदी क्षेत्र में कार्यक्रम करना है’ । चला गया , प्रभु की यही इच्छा थी । ईश्वर शरद त्रिपाठी जी की आत्मा को शांति दें , अपने श्री चरणों में स्थान दें। pic.twitter.com/BTA2BsgDkD
— Smriti Z Irani (@smritiirani) June 30, 2021

