વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20 કરોડથી વધુ થઈ ગયા છે અને આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 42.5 લાખ થયો છે. વળી, અત્યાર સુધીમાં 4.26 અબજ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
આ પણ વાંચો – UK Neavy / રહસ્યમય સંજોગોમાં અપહરણ કરાયેલ UKનું જહાજ ઓમાનના અખાતમાં છોડી દેવામાં આવ્યું

વિશ્વમાં કોરોનાનાં કેસ
ગુરુવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 20,01,52,057, 42,55,443 અને 4,26,55,74,682 પર આવી ગઇ છે. સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, અમેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે અને અહી સૌથી વધુ કેસ અને મૃત્યુ અનુક્રમે 3,53,31,699 અને 6,14,803 છે. 31,769,132 કેસ સાથે સંક્રમણની બાબતમાં ભારત બીજા ક્રમાંકે છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (2,00,26,533), રશિયા (62,74,006), ફ્રાન્સ (62,70,961), યુકે (59,80,887), તુર્કી (58,22,487), આર્જેન્ટિના (49,75,616), કોલંબિયા (48,15,063), સ્પેન (4,555), ઇટાલી (43,69,964), ઇરાન (40,19,084), જર્મની (37,86,003) અને ઇન્ડોનેશિયા (35,32,567) છે. મૃત્યુની દ્રષ્ટિએ, બ્રાઝિલ 559,607 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારત (425,757), મેક્સિકો (241,936), પેરુ (196,673), રશિયા (159,032), યુકે (130,300), ઇટાલી (128,136), કોલંબિયા (121,695), ફ્રાન્સ (112,215), આર્જેન્ટિના (106,747) અને ઇન્ડોનેશિયા (100,636) વધુ 100,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો – આરોપ / ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ કુમો પર કુલ 11 મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ,જો બિડેને કહ્યું રાજીનામું આપવું જોઈએ
India reports 42,982 new #COVID19 cases, 41,726 recoveries and 533 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 3,18,12,114
Active cases: 4,11,076
Total recoveries: 3,09,74,748
Death toll: 4,26,290Total vaccination: 48,93,42,295 pic.twitter.com/PrNVUJjqMT
— ANI (@ANI) August 5, 2021
ભારતમાં કોરોનાનાં કેસ
ભારતમાં એક દિવસમાં કોવિડ-19 નાં 42,982 નવા કેસો આવવાથી, સંક્રમણનાં કુલ કેસોની સંખ્યા વધીને 3,18,12,114 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4,11,076 થઈ ગઇ છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં અપડેટ કરેલા ડેટા અનુસાર, મૃત્યુઆંક વધીને 4,26,290 થઇ ગયો છે, જેમાં 533 વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા સંક્રમણનાં કુલ કેસોનાં 1.29 ટકા છે, જ્યારે કોવિડ-19 નાં રિકવરનો રાષ્ટ્રીય દર 97.37 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 723 નો વધારો થયો છે.

આ પણ વાંચો – વિશ્લેષણ / જે પક્ષ વિરોધ પક્ષમાં બેસે છે તેની નિયત જ બની જાય છે કે, સંસદની કાર્યવાહી ખોરવી વિરોધ કરવો
દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટનાં રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસો 16 મી સપ્ટેમ્બરે 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ અને 20 મી નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મે મહિનાનાં રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા છે.
