ઉત્તરપ્રદેશ/ માફિયા ડોન મુખ્તાર અન્સારીની તબિયત બગડી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

મુખ્તારને જેલ અને જિલ્લા હોસ્પિટલના તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મુખ્તારની સારવાર કરવામાં આવી રહી છે.

Top Stories India
માફિયા ડોન મુખ્તાર અન્સારી

બંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારી ની આજે બપોરે અચાનક તબિયત લથડી હતી. આ માહિતીથી જેલમાં હલચલ વધી ગઈ હતી. મુખ્તારને જેલ અને જિલ્લા હોસ્પિટલના તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મુખ્તારની સારવાર કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત ગંભીર છે. અગાઉ બાંદા જેલમાં બંધ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્તારના એન્ટિજેન કોવિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ઉલ્લેખનીય છેકે, બસપા સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી હતી કે બાહુબલીના ધારાસભ્ય મુખ્તાર અન્સારી આ વખતે ચૂંટણી નહીં લડે. તેમના સ્થાને બસપાના પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભર મંદસૌર પ્રદેશમાંથી ચૂંટણી લડશે. માયાવતીએ ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈપણ બાહુબલી કે માફિયાને વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ નહિ આપવામાં આવે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, બસપાનો સંકલ્પ ‘કાયદા દ્વારા કાયદાનું શાસન’ સાથે યુપીનું ચિત્ર બદલવાનો છે જેથી માત્ર રાજ્ય અને દેશ જ નહીં, પરંતુ દરેક બાળક કહે કે જો સરકાર હોય તો તે બહેનના ‘સર્વજન હિતાય અને સર્વજન સુખાય’ જેવી છે. અને બસપા જે પણ કહે છે, તે કરી બતાવે છે, તે પણ પાર્ટીની સાચી ઓળખ છે.

બીજી બાજુ, રાજકીય કોરિડોરમાં બીજી ચર્ચા છે કે,  હકીકતમાં, થોડા દિવસો પહેલા જ માફિયા ડોન મુખ્તાર અન્સારી ના મોટા ભાઈ સિગબતુલ્લાહ અંસારી અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેમનો પુત્ર પણ સપામાં જોડાયો હતો. આ જ કારણ છે કે બસપા સુપ્રીમો માયાવતી મુખ્તાર અંસારીથી અત્યંત નારાજ છે.

ચીન ડરી ગયું ? / બિડેને વોશિંગ્ટનમાં મહત્વની બેઠક બોલાવી, ડ્રેગને કહ્યું, ….

News / Engineer’sDay 2021 : જાણો કેમ મનાવવામાં આવે છે “અભિયંતા દિવસ”