Business/ જો તમારે સોનું ખરીદવું હોય તો જલ્દી કરો, આગામી દિવસોમાં સરકાર આ પગલાં લેવા જઈ રહી છે

GST ફિટમેન્ટ કમિટીએ સોના અને ચાંદી પર GST 3 ટકાથી વધારીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Trending Business

સોના અને ચાંદીના દાગીનાના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે કારણ કે GST ફિટમેન્ટ કમિટીએ GST દરોમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. કમિટીના રિપોર્ટ મુજબ જે સામાન પર અત્યારે 5 ટકા GST રેટ છે તેને વધારીને 7 ટકા કરવો જોઈએ અને જે સામાન પર 18 ટકા લાગુ છે તેને વધારીને 20 ટકા કરવો જોઈએ. આ સિવાય ફિટમેન્ટ કમિટીએ પણ પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે GSTના બે અલગ-અલગ દર 12 અને 18 ટકાને એકમાં મર્જ કરવામાં આવે. સમિતિના મતે આ બંને GST દરોને જોડીને 17 ટકાનો નવો દર બનાવવો જોઈએ.

દરખાસ્તમાં વળતરના દરમાં વધારો કરવાની બાબત
GST ફિટમેન્ટ કમિટીએ તેની દરખાસ્તમાં વળતરનો દર વધારવાનું પણ સૂચન કર્યું છે. હાલમાં આ દર 1 ટકા છે, જે વધારીને 1.5 ટકા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ પ્રસ્તાવમાં સોના-ચાંદી પર જીએસટી વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. GST ફિટમેન્ટ કમિટીએ સોના અને ચાંદી પર GST 3 ટકાથી વધારીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે આ સંબંધમાં મંત્રી જૂથના નિર્ણય બાદ જ જીએસટીના રેટ સ્લેબમાં ફેરફાર થશે. નોંધનીય છે કે GSTના દરોમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી સતત અટકળો ચાલી રહી છે.

27 નવેમ્બરે મંત્રીઓના જૂથની  બેઠક યોજાશે
મહત્વપૂર્ણ છે કે, 27 નવેમ્બરે મંત્રીઓના જૂથની બેઠક છે, જેમાં GST સ્લેબમાં ફેરફાર અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ સંદર્ભમાં સીબીઆઈસીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે જાન્યુઆરી 2022થી કપડાં પર જીએસટીનો દર 5 ટકાથી 12 ટકા થઈ જશે. તે જ સમયે, વણેલા કાપડ, સિન્થેટિક યાર્ન, પાઇલ ફેબ્રિક, ધાબળો, ટેન્ટ, ટેબલ ક્લોથ જેવા અન્ય કાપડ પર પણ GSTનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.

National / PM નરેન્દ્ર મોદીને મળ્યા મમતા બેનર્જી, કહ્યું-BSF કાયદો પાછો ખેંચવો જોઈએ

વિશ્લેષણ / જેવા જેના વિધાનો તેવા તેના સંસ્કાર