Delhi Police : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આશંકા આખરે સાચી સાબિત થઈ. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની આખરે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા સિસોદિયાની આજે એટલે કે રવિવારે (26 ફેબ્રુઆરી) સાંજે ધરપકડ કરવામાં આવી છે. હવે સોમવારે (27 ફેબ્રુઆરી) સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ કોર્ટ પાસે પૂછપરછ માટે સિસોદિયાને કસ્ટડીમાં મોકલવાની માંગ કરશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે સિસોદિયા સિવાય પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાય, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, ધારાસભ્ય રોહિત કુમાર મહરુલિયા અને સંગમ વિહારના ધારાસભ્ય દિનેશ મોહનિયાનો સમાવેશ થાય છે. આ દાવો ખુદ સંજય સિંહે કર્યો છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
दिल्ली पुलिस ने मुझे , मंत्री गोपाल राय जी को विधायक ऋतुराज झा, दिनेश मोहनिया , रोहित मेहरौलिया , आदिल खान समेत कई पार्षदों और कार्यकर्ताओं के साथ फतेहपुर बेरी थाने में गिरफ्तार कर लिया है ।
न डरेंगे , न झुकेंगे , लड़ते रहेंगे ।#ModiFearsKejriwal pic.twitter.com/JdJzXixA29
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 26, 2023
સંજય સિંહે પણ ટ્વીટ કરીને દાવો (Delhi Police )કર્યો કે, “દિલ્હી પોલીસે મારી, મંત્રી ગોપાલ રાય જી, ધારાસભ્યો ઋતુરાજ ઝા, દિનેશ મોહનિયા, રોહિત મહેરૌલિયા, આદિલ ખાન સહિત ઘણા કાઉન્સિલરો અને કાર્યકરોની ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી છે.” તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, “ન તો અમે ડરશું, ન ઝુકીશું, અમે લડીશું. આ તમામ નેતાઓ સિસોદિયાની સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહ્યા હતા અને સીબીઆઈ હેડક્વાર્ટર પાસે ધરણા પર બેઠા હતા.
દિલ્હી પોલીસે AAP (Delhi Police )સાંસદ સંજય સિંહના દાવાને નકારી કાઢ્યો છે. દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી.” પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “કોઈને પણ કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરિસ્થિતિના આધારે, તેમને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે.” ડીસીપી દક્ષિણે જણાવ્યું હતું કે, કોઈ ધરપકડ નથી
સિસોદિયાની ધરપકડથી (Delhi Police )આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે સિસોદિયાના ઘરે પહોંચ્યા હતા. સિસોદિયાના પરિવારને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરી
