Campaign/ મોદી અટક પર ટિપ્પણી કરી હતી ત્યાંથી શરૂ થશે કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી ‘સત્યમેવ જયતે’ અભિયાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારથી પાર્ટીના રાષ્ટ્રવ્યાપી ‘સત્યમેવ જયતે’ અભિયાનની શરૂઆત કરશે વર્ષ 2019 માં, રાહુલે કોલારમાં જ મોદી અટક પર ટિપ્પણી કરી હતી

Top Stories India
Campaign

Campaign: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારથી પાર્ટીના રાષ્ટ્રવ્યાપી ‘સત્યમેવ જયતે’ અભિયાનની શરૂઆત કરશે. વર્ષ 2019 માં, રાહુલે કોલારમાં જ મોદી અટક પર ટિપ્પણી કરી હતી, જેના માટે તેને સુરતની અદાલત દ્વારા ફોજદારી માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી.

પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા (Campaign) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલાર આવશે અને અહીંથી સત્યમેવ જયતે અભિયાનની શરૂઆત કરશે. આ માટે તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધી કોલારની ધરતીથી પરિવર્તનનો સંદેશ આપશે.

રાહુલની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગે આનંદ શર્માએ કહ્યું હતું કે કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરતા પહેલા જ રાહુલને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ એક ખોટો નિર્ણય છે. ઉચ્ચ ન્યાયતંત્ર દ્વારા તેને રદ કરવામાં આવશે.

Political/ મમતા બેનર્જી વોશિંગ મશીન સાથે સ્ટેજ પર દેખાયા,કાળા કપડા મશીનમાં નાંખી સફેદ બહાર કાઢ્યા,ભાજપ પર કર્યો કટાક્ષ

April Fools Day 2023/‘એપ્રિલ ફૂલ ડે’ 1લી એપ્રિલે જ કેમ ઉજવવામાં આવે છે? આ દિવસે મૂર્ખ બનાવવા પાછળનો ઇતિહાસ છે રસપ્રદ

Helth/માથાના દુખાવાની અવગણના જોખમી સાબિત થઈ શકે છે, હોઈ શકે છે ગંભીર બિમારી