કર્ણાટકમાં કોંગ્રેસનું PayCM કેમ્પેઇન રંગ લાવ્યું છે. Congress Win Karnataka બસવરાજ સરકારનો 40 ટકા કમિશનનો ભ્રષ્ટાચાર ભાજપને આભડી ગયો છે. તેના પગલે ભાજપે સત્તાથી હાથ ધોવા પડયા છે. કર્ણાટકમાં કોંગ્રેસ 135 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 64 સીટો પર આગળ છે. જોકે, અત્યારે સીએમના ચહેરા પર સસ્પેન્સ છે. કોંગ્રેસમાં સીએમ પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પ્રબળ દાવેદાર છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા કેન્દ્રીય નિરીક્ષકો વિધાનમંડળના નેતા અંગે સૂચનો લેશે. તમામ ધારાસભ્યો એક લીટીનો ઠરાવ પસાર કરશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરે કે સીએમ કોણ બનશે?
રાહુલ-સોનિયા ગાંધી- ડીકે શિવકુમારને આપેલું વચન પૂરું કર્યું
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, મેં સોનિયા ગાંધી અને Congress Win Karnataka રાહુલ ગાંધીને જે વચન આપ્યું હતું તે મેં પૂરું કર્યું છે. હું તેમના પગે પડું છું અને સંયુક્ત કર્ણાટકના લોકો પાસેથી તેમના આશીર્વાદ માંગું છું અને તેમના સમર્થન માટે તેમનો આભાર માનું છું. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને મતદાન કર્યું. જ્યારે સોનિયા ગાંધી મને મળવા જેલમાં આવ્યા ત્યારે હું ભૂલી શકતો નથી. વિશ્વાસ દર્શાવવા માટે હું ગાંધી પરિવાર અને સિદ્ધારમૈયા સહિત પક્ષના તમામ નેતાઓનો આભાર માનું છું.
#WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr
— ANI (@ANI) May 13, 2023
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મોદીજીએ સરમુખત્યારશાહી Congress Win Karnataka કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવા બદલ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કર્યું હતું. આજે એ જ ભ્રષ્ટાચારના કારણે કર્ણાટકની જનતાએ તેમને રાજ્યમાંથી હાંકી કાઢ્યા. આનાથી સાબિત થયું છે કે સત્તા કોના હાથમાં જશે તે સત્તાધારી પક્ષ નહીં પણ સામાન્ય જનતા નક્કી કરે છે. ટ્રેન્ડમાં કોંગ્રેસની જીત જોઈને કોંગ્રેસના કર્ણાટક અધ્યક્ષ ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, આ સંયુક્ત કર્ણાટકની જીત છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હંમેશા અમારું સમર્થન કર્યું છે. સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર.
શિવકુમાર ભાવુક થયા
ટ્રેન્ડમાં કોંગ્રેસની જીત જોઈને કોંગ્રેસના કર્ણાટક અધ્યક્ષ ડીકે શિવકુમાર Congress Win Karnataka ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, આ સંયુક્ત કર્ણાટકની જીત છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હંમેશા અમારું સમર્થન કર્યું છે. સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર.ભારત જોડો યાત્રાની અસર કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભારત જોડો યાત્રા કર્ણાટકની 21 બેઠકોમાંથી પસાર થઈ. જેમાંથી 17 પર કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. 2018માં કોંગ્રેસે આમાંથી માત્ર પાંચ બેઠકો જીતી હતી. માનવામાં આવે છે કે રાહુલ ગાંધી આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ ગ્વાલિયર/ PM મોદીનું બની રહ્યું છે મંદિર, રોજ થશે આરતી, આ જગ્યાએ થશે સ્થાપના
આ પણ વાંચોઃ Congress-Karnataka/ સિદ્ધારમૈયાના પુત્રએ કહ્યું કે કર્ણાટકના હિત માટે તેમના પિતાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ
આ પણ વાંચોઃ ફરિયાદ/ સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ, જાણો કોણ પરેશાન કરી રહ્યું છે ક્રિકેટના ભગવાન
