મોદીજી એ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.
માનનીય પ્રધાનમંત્રી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આફતના સમયમાં પ્રસ્તુત માર્ગદર્શન અને સહયોગ માટે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે નાગરિકોના અને પશુધનના સુરક્ષાને લઈને યોજાયેલી કડક કાર્યવાહીનો આભાર માન્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી જરૂરિયાત મુજબ સહયોગ કરવાની ખાતરી આપી છે. ગુજરાતમાં સ્થિતિને લઈને પ્રધાનમંત્રીએ સતત ધ્યાન આપ્યું છે, અને કુદરતી આફતના સમયે તેમણે સુઝબૂઝ અને માર્ગદર્શન આપવાની બધી શક્યતાઓ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી.મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી, એમ.કે.દાસ સહિત મહેસૂલ, ઊર્જા, આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ મકાન વગેરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 27 ઓગસ્ટ સવારના 10 વાગ્યા સુધીની સ્થિતિએ મોસમનો સરેરાશ 106 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 99ના મોત, હજારોનું સ્થળાંતર
આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ
