Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વના ચુકાદામાં આરોપીને નિર્દોષ હોવાનો ચુકાદો આપતા છોડવાનો આદેશ આપ્યો. આ આરોપીને 2002માં એક હત્યાના ગુનામાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો. 2002માં બનેલ હત્યાના કેસમાં વડોદરા (Vadodara)ની કોર્ટ દ્વારા સાત વર્ષની જેલની સજા પામેલા આરોપીને નિર્દોષ છોડવાનો આદેશ આપવામાં આવ્યો. કોર્ટે ચુકાદામાં કહ્યું કે માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.
2002ની હત્યાની કેસમાં સુનાવણી દરમ્યાન અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે જ્યારે ફરિયાદી પક્ષ આરોપી અને અપરાધ વચ્ચે અતૂટ કડી સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી ના શકાય.
કોર્ટે જણાવ્યું હતું કે આ બનાવમાં ચાર આરોપીઓ સામે કેસ હતો અને તમામ આરોપીઓ સામે સમાન આરોપો હતા. પરંતુ એકને દોષિત ઠેરવવામાં આવ્યો જ્યારે ત્રણને નિર્દોષ જાહેર કરાયા. આ આદેશ ભેદભાવપૂર્ણ હોવાનું કહી શકાય. વધુમાં, જ્યારે ગુજનારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ એક અલગ નિવેદન આપ્યું હતું, જેમાં તેણે ડૉક્ટર અને પોલીસને જણાવ્યું હતું કે તે ઉપરના માળેથી લોખંડનો ટુકડો પડી જવાને કારણે ઘાયલ થયો હતો.
શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં જુની અદાવતના કારણે આરોપીએ કાંતિ સરગરા નામની વ્યક્તિ સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ હુમલાખોરને ચપ્પુથી ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેના બાદ વર્ષ 2007માં વડોદરા કોર્ટે એક આરોપીને દોષિત ઠરાવીને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. દરમ્યાન હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ નિર્દેશ આપતા કહ્યું કે જ્યારે ફરિયાદી પક્ષ આરોપી અને ગુના વચ્ચે કોઈ અતૂટ કડી સ્થાપિત કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, પછી ભલે તે ગમે તેટલો મજબૂત કેમ ન હોય.
2007માં બનેલ ઘટનાની સુનાવણી કરી રહેલ જસ્ટિસ દિવ્યેશ જોષીએ જણાવ્યું કે એક પરિવારે તેમના પ્રિયજનને ગુમાવ્યા છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે શું સંજોગોની સમગ્રતા ખોટી રીતે આરોપીઓ તરફ આંગળી ચીંધે છે અને બીજું એ કે શું આરોપી ખરેખ સાચો ગુનેગાર છે? કોર્ટે જણાવ્યું કે ફરિયાદ પક્ષ આ કેસમાં નિષ્ફળ ગયો છે. આરોપી અને ગુના વચ્ચે ગુમ થયેલ જોડાણ ફરિયાદ પક્ષ સાબિત કરી શકયો નથી. શું સાચું હોઈ શકે અને સાચું શું છે તે વચ્ચેના તફાવતને સંતોષકારક રીતે સમજાવવામાં ફરિયાદ પક્ષ આ કેસમાં નિષ્ફળ ગયો છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આરોપી સામે ચોક્કસ અને સ્પષ્ટ પુરાવા હોય ત્યારે જ કેસ પુરવાર ગણી શકાય. અન્યથા કોઈ પણ વ્યક્તિને શુદ્ધ નૈતિક માન્યતાના આધારે દોષિત ઠેરવી શકાય નહીં.
હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અને ટ્રાયલ દરમિયાન ફરિયાદીની જુબાનીમાં ઘણી વિસંગતતાઓ છે. ફરિયાદીની પોતાની અને તેની માતાની જુબાની વચ્ચે મોટો વિરોધાભાસ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ શંકાના પડછાયાને દૂર કરવામાં નિષ્ફળ ગયો હતો અને આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યો હતો અને તેને દોષિત ઠેરવતા ટ્રાયલ કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો.
આ પણ વાંચો:NCERTએ 10મા પુસ્તકમાં વધુ ફેરફારો કર્યા, લોકશાહી અને રાજકીય પક્ષો સાથે સંબંધિત પ્રકરણો હટાવ્યા
આ પણ વાંચો:સફળ થવાના આ રસ્તા ચાણક્ય નીતિ કરતા વધુ સારા, ખુશીઓ જરૂર મળશે
આ પણ વાંચો:શાળાઓમાં રમખાણો વિશે શીખવવાની જરૂર નથી, તે હિંસક નાગરિકો બનાવી શકે છે: NCERT ડિરેક્ટર સકલાની
