Amreli News/ અમરેલી લેટર કાંડનો વિવાદ વકર્યો, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો કવિતામાં બળાપો

અમરેલી લેટરકાંડમા વિવાદ વધુ વકર્યો છે. અમરેલીમાં લેટરકાંડ યુવતીનુ સરઘસ કાઢવા મુદ્દે હવે કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક કવિતા લખીને બળાપો કાઢ્યો.

Top Stories Gujarat Others Breaking News Politics
Yogesh Work 2025 01 02T164226.245 અમરેલી લેટર કાંડનો વિવાદ વકર્યો, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો કવિતામાં બળાપો

અમરેલીના લેટર કાંડમાં પાટીદાર સમાજની અવિવાહિત દિકરીના સરઘસ કાઢવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. બનાવટી લેટર કાંડ મામલે, પાટીદાર સમાજના આગેવાનોની પ્રયાસો દરમિયાન, વિદ્યાર્થીઓ અને રાજકીય દળો વચ્ચે વિવાદ વધુ પ્રખર બની રહ્યો છે.

અમરેલીમાં ખોડલધામ સમિતિના આગેવાનો દ્વારા યુવતીને જેલમાંથી મુક્ત કરાવવાની મુહિમ ચાલી રહી છે. અનેક પાટીદાર આગેવાનો જેમ કે દિનેશ બાંભણીયા, મનોજ પનારા, અને મહેશ કસવાળા, આ બાબતમાં સક્રિય થયા છે. આ કેસને લઈને, પાટીદાર સમાજના લોકો આંકડાની સામે ખીચાણ પાડતા જોવા મળી રહ્યા છે.

વિશેષ આ કેસમાં હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ મૌન તોડતા કવિતા લખી ટ્વીટ કરી છે, “લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!” જેમાં તેમણે આરોપ લગાવ્યા છે કે અમરેલીની કુંવારી કન્યાના ‘જાહેરમા વરઘોડા’ કાઢી ગુજરાતની ગૌરવશાળી પરંપરાને ઠેસ પહોંચાડી છે.

આ વિવાદમાં આંતરરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે, સરઘસ કાઢનાર સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક બાજુ સંવિધાનની વાતો વચ્ચે સંવિધાન ભંગ કરી રહ્યાં છે. પોલીસ સામે કાર્યવાહી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં દોષી સામે કાયદેયસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

આ દરમ્યાન રાજકીય આગેવાનો તેમજ પાટીદાર સમાજના આગેવાનો મહિલાને જેલમાંથી મુક્ત કરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, અને પોલીસ ફરિયાદમાંથી તેણીના નામને દૂર કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ અમરેલી અને સમગ્ર ગુજરાતમાં રાજકીય અને સામાજિક મંચ પર ચિંતાઓ અને ચર્ચાઓનો વિવાદ ઉભો કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી : બનાવટી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઇ

આ પણ વાંચો: અમરેલીમાં બગસરા પાલિકા સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં 31મીએ બંધ

આ પણ વાંચો: પાટીદાર દીકરીના સરઘસ મામલે રાજકારણ ગરમાયું, સમાજના આગેવાનો થયા એકઠા