Delhi Fire/ મુંડકા દુર્ઘટના બાદ ઉત્તર મહાનગરપાલિકાનો આદેશ, તમામ ઈમારતોનો સર્વે કરાશે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંડકા વિસ્તારની ઈમારતમાં લાગેલી આગ બાદ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ આપ્યો છે કે 10 દિવસમાં તમામ ઈમારતોનો સર્વે કરવામાં આવે.

Top Stories India
delhi

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંડકા વિસ્તારની ઈમારતમાં લાગેલી આગ બાદ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ આપ્યો છે કે 10 દિવસમાં તમામ ઈમારતોનો સર્વે કરવામાં આવે. જે બિલ્ડીંગમાં ફેક્ટરી ચાલી રહી છે તેનો સર્વે. મહાનગરપાલિકાનો આદેશ છે કે નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના લોકોની ઓળખ થઈ શકી નથી. અત્યાર સુધીમાં 29 લોકો ગુમ છે, જેમાં 24 મહિલાઓ અને 5 પુરૂષો છે. ફાયર ઓફિસરે જણાવ્યું કે રાહત કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજધાનીના પશ્ચિમ વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત કોમર્શિયલ બિલ્ડીંગમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઈમારતમાંથી 50થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

આ ઘટનાને લઈને દેશભરમાં શોકની લહેર છે. વડાપ્રધાને ટ્વિટ કરીને મૃતકોના પરિજનો માટે વળતરની જાહેરાત કરી છે. આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી જેવા અન્ય ઘણા મોટા નેતાઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:શ્રીલંકામાં LPG સંકટ, કલાકો સુધી રસ્તાઓ પર લાઈનમાં ઉભા રહેતા લોકોએ હોબાળો મચાવ્યો