ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર હજુ પણ યથાવત છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં 7.62 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 16.85 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે.

ભારતમાં પણ COVID-19 ના કેસો દરરોજ વધી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 1,00,31,223 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 26,624 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 341 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોનાને કારણે કુલ 1,45,447 લોકોએ જીવ ગુમાવ્યો છે. સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાનાં કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 3.5 લાખથી ઓછી છે.

આપણે જણાવી દઈએ કે, આ વર્ષે 30 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાવાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં Covid-19 નાં એક કરોડથી વધુ કેસ નોંધાયા છે. પ્રથમ દેશ અમેરિકા છે. યુ.એસ.માં કોરોનાનાં કુલ 1,76,49,547 કેસ નોંધાયા છે. યુ.એસ. માં સક્રિય કેસની સંખ્યા પણ ઘણી વધારે છે. 1,73,33,400 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 3,16,147 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્રીજા નંબર પર બ્રાઝિલનું નામ આવે છે. અહી 72,13,155 કેસ નોંધાયા છે. અહી અત્યાર સુધીમાં 6,37,861 સક્રિય કેસ છે અને 1,86,356 કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.
India records 26,624 new COVID-19 cases, 29,690 recoveries, & 341 deaths in the last 24 hours, as per Health Ministry.
Total cases: 1,00,31,223
Total recoveries: 95,80,402
Active cases: 3,05,344
Death toll: 1,45,477 pic.twitter.com/JWFahf7s5Q
— ANI (@ANI) December 20, 2020
કોરોના વાયરસથી વિશ્વભરમાં 15.95 લાખ લોકો માર્યા ગયા છે અને 7.1 કરોડથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં વિજ્ઞાન અને ઇજનેરીનાં કેન્દ્ર (સીએસએસઇ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 192 દેશોમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 7.1 કરોડથી વધુ લોકોને સંક્રમણ લાગ્યો છે, જ્યારે 15,94,775 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
મહામારી બાદ આવશે સદીનું મહાબજેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત
કોરોનાની રસી લેવાથી આ પ્રકારની સામાન્ય આડઅસર થઈ શકે છે
ફાઈઝરની કોવિડ રસી ભારતમાં આ કિંમતે થશે ઉપલબ્ધ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
