ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનાં સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ અંગત કારણોસર આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બુમરાહે આ માટે બીસીસીઆઈને વિનંતી કરી હતી, જેને બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવી છે.
Jharkhand / દેવડી મંદિર દર્શન કરવા પહોંચ્યા ધોની, જોવા માટે ફેન્સની લાગી લાંબી લાઇન
આપને જણાવી દઇએ કે, બુમરાહ આ શ્રેણીની પ્રથમ અને ત્રીજી મેચ રમ્યો હતો, જ્યારે તેને બીજી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 2-1 થી આગળ છે અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની સંભાવના ઘણી વધારે છે. ભારતે હવે ચોથી મેચ જીતવાની કે ડ્રો કરવાની જરૂર છે. બીસીસીઆઈએ બુમરાહનાં બહાર નીકળવાનાં મામલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી ખસી જવા માટે બોર્ડને વિશેષ વિનંતી કરી હતી. જણાવી દઇએ કે, ભારતીય ટીમે કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ કર્યા પછી આ ઝડપી બોલર સતત ક્રિકેટ રમી રહ્યો છે. તેણે પહેલા યુએઈમાં આઈપીએલ 2020 માં ભાગ લીધો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ પાંચમો ખિતાબ જીત્યો હતો. આ પછી તે ઓસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવર શ્રેણી અને ટેસ્ટ શ્રેણીનો પણ એક ભાગ હતો.
Cricket / ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
NEWS – Jasprit Bumrah released from India’s squad
Jasprit Bumrah made a request to BCCI to be released from India’s squad ahead of the fourth Test owing to personal reasons.
More details – https://t.co/w2wlfodmq8 #INDvENG pic.twitter.com/mREocEuCGa
— BCCI (@BCCI) February 27, 2021
જસપ્રિત બુમરાહ મર્યાદિત ઓવરોની શ્રેણીમાં રમશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. બુમરાહની ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે, પરંતુ કોરોના પ્રોટોકોલથી વિદાય લેવાને કારણે તેના રમવા અંગે શંકા યથાવત છે. બુમરાહ ક્યારે ટીમ સાથે જોડાશે તે વિશે કોઇ જાણકારી સામે આવી નથી. તેની ચોથી મેચ પહેલા ટી-20 શ્રેણીમાં તેને આરામ આપવામાં આવે તેવી આશા હતી.
Cricket / કોહલીએ ગુજરાતીમાં કર્યા અક્ષરનાં વખાણ, સાંભળી તમે પણ કહેશો વાહ ભાઈ વાહ!
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
