વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 25.94 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 51.7 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.48 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ 259,454,834, મૃત્યુઆંક 5,174,239 છે અને રસીકરણની કુલ સંખ્યા 7,487,164,155 છે.
આ પણ વાંચો – INS Vela / Indian Navy ની વધશે તાકત, નૌકાદળમાં સામેલ થશે સબમરીન INS વેલા, જાણો શું છે વિશેષતા
દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફરી એકવાર દેશમાં 10,000 થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9,119 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 10,264 લોકો સ્વસ્થ થયા છે. જેના કારણે સક્રિય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને હવે આ આંકડો ઘટીને માત્ર 1,09,940 પર આવી ગયો છે. આ આંકડો છેલ્લા 539 દિવસમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછો છે. આટલું જ નહીં, રિકવરી રેટ પણ વધીને 98 ટકાથી વધી ગયો છે, જે ગયા વર્ષનાં માર્ચ પછીનું સૌથી ઊંચું સ્તર છે. દરમિયાન, કોરોના રસીઓમાં પણ તેજી જોવા મળી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 1,19,38,44,741 થી વધુ કોરોના રસી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ આંકડો 120 કરોડને પાર થવાની આશા છે.
#COVID19 | India reports 9,119 new cases, 10,264 recoveries & 396 deaths in the last 24 hours, as per Health Ministry.
Active cases stand at 1,09,940 – lowest in 539 days pic.twitter.com/x4SLz63Q5c
— ANI (@ANI) November 25, 2021
આ પણ વાંચો – Covid-19 / ભારતમાં ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે Sputnik Lite રસી, કોરોના સામે 80 ટકા છે અસરકારક
દેશમાં સંક્રમિતોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરનાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબરનાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મે મહિનાનાં રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.
