Not Set/ ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં કિલોએ રૂ. 3થી 5નો ઘટાડો કરવાનો નિર્ણય

તેલનો ઉપયોગ ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને અન્ય દેશોમાં બાયોફ્યુઅલ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખાદ્ય તેલની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે

Business

દિવાળીના  તહેવારને હવે ગણતરીના  દિવસો બાકી છે  ત્યારે પેટ્રોલ અને ડીઝલના  ભાવમાં  સતત વધારો થતો જોવા મળી રાજ્યો છે.  પેટ્રોલ ની સાથે   તેલ ના ભાવ પણ આસમાને પહોચતા જોવા મળી રહ્યા છે . દિવાળીના સમયે  સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં રૂ. 3થી 5 પ્રતિ કિલોનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એટલે હવે તેલના ડબ્બાના ભાવમાં રૂ. 45થી લઈને રૂ. 75 સુધીનો ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી છે .

ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડાના કોઈ સંકેતો સાથે ઉદ્યોગ સંસ્થા સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે ભાવમાં 3-5 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. એસઇએએ જણાવ્યું હતું કે તેના સભ્યોએ લોકોને રાહત આપવા માટે આ તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો 3-5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં થોડો વધુ ઘટાડો થવાની ધારણા છે.

આ પણ વાંચો ;મોટા સમાચાર / યુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા સારા સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi

ગ્રાહકોને વધુ રાહત આપવા માટે, સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એ જણાવ્યું હતું કે, “એસઇએના સભ્યોએ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના ભાવમાં રૂ. 3,000 થી રૂ. 5,000 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એસઇએએ જણાવ્યું હતું કે 10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબરની વચ્ચે પામોલિન, રિફાઈન્ડ સોયા અને રિફાઈન્ડ સનફ્લાવરના જથ્થાબંધ ભાવમાં ડ્યૂટી બાદ 7-11 ટકાનો ઘટાડો થયો છે. એસઇએએ જણાવ્યું હતું, “આ તમામ ખાદ્યતેલોના આંતરરાષ્ટ્રીય ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, સરકાર દ્વારા ડ્યુટીમાં ઘટાડાથી ગ્રાહકો પરની અસરમાં ઘટાડો થયો છે.”

તેલનો ઉપયોગ ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને અન્ય દેશોમાં બાયોફ્યુઅલ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખાદ્ય તેલની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ભારત તેની મોટાભાગની જરૂરિયાતો વિદેશમાંથી આયાત કરે છે. વિદેશી બજારમાં આ તેલ-તેલીબિયાંના ભાવ વધ્યા છે અને સ્ટોકની પણ અછત છે, જેના કારણે સ્થાનિક ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો ;દર્શન / દિવાળી તહેવારમાં અંબાજી મંદિરના દર્શન અને આરતીનો સમય શું હશે તે જાણો…