Onion Price Hike/ ડુંગળીના ઊંચા ભાવે લોકોની ઊંઘ હરામ કરી, આ શહેરોમાં 35 રૂપિયે કિલો મળી રહી છે ગરીબોની કસ્તુરી

સામાન્ય લોકોને રસોડાના વધતા બજેટમાંથી રાહત આપવા માટે આ અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનની શરૂઆત કરતા ખાદ્ય વિતરણ અને ગ્રાહક

Business

Business News: ટામેટાં બાદ હવે ડુંગળીના (Onion Price) આસમાને પહોંચી રહેલા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે તેને રાહત ભાવે વેચવાનું શરૂ કર્યું છે. ગુરૂવારે એક દિવસ પહેલા રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લોકોને માત્ર 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદવાની તક મળી રહી છે.

Here's why the government has stepped in to cool soaring onion prices - BusinessToday

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સામાન્ય લોકોને રસોડાના વધતા બજેટમાંથી રાહત આપવા માટે આ અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનની શરૂઆત કરતા ખાદ્ય વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં દિલ્હી-એનસીઆર અને મુંબઈના લોકોને સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે આ વેચાણ દિલ્હી-એનસીઆરમાં કૃષિ ભવન, નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા કોમ્પ્લેક્સ, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, પટેલ ચોક મેટ્રો સ્ટેશન અને નોઈડાના કેટલાક ભાગો સહિત કુલ 38 સ્થળોએ કરવામાં આવશે. મુંબઈમાં પરેલ અને લોઅર મલાડ જેવા સ્થળોએ લોકો સસ્તી ડુંગળી ખરીદી શકશે.

Onion prices stabilise after price rise last week - Commodities News | The Financial Express

બીજા તબક્કામાં, તે રાજ્યની રાજધાનીઓમાં શરૂ કરવામાં આવશે. બીજા તબક્કાની શરૂઆત આવતા સપ્તાહથી થશે, જેમાં કોલકાતા, ગુવાહાટી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, અમદાવાદ, રાયપુર જેવા શહેરોને આવરી લેવામાં આવશે. મોટા શહેરો સિવાય અન્ય શહેરોના લોકોને પણ ટૂંક સમયમાં સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અભિયાનના ત્રીજા તબક્કામાં દેશભરમાં સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવશે. સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી દેશભરમાં સબસિડીવાળા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવાનું શરૂ થશે.

આ રીતે સસ્તી ડુંગળી વેચાઈ રહી છે

સરકાર દ્વારા રાહત દરે ઉપલબ્ધ કરાવાતી ડુંગળી નાફેડ અને એનસીસીએફ જેવી સહકારી એજન્સીઓ દ્વારા વેચવામાં આવી રહી છે. સહકારી એજન્સીઓ સમર્પિત વાન દ્વારા સસ્તા ભાવે ડુંગળી વેચી રહી છે. સરકાર સબસિડીવાળી ડુંગળી અન્ય પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવે છે.

STO lowers onion prices

દરેક વ્યક્તિ આ અભિયાનનો લાભ લઈ શકે છે

સરકારના આ અભિયાનનો દરેક લોકો લાભ લઈ શકે છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર દ્વારા આપવામાં આવતી સસ્તી ડુંગળી ખરીદવા માટે કોઈ ઓળખ પત્ર કે કાર્ડ બતાવવાની જરૂર રહેશે નહીં. રાહત દરે ખરીદેલી ડુંગળીના જથ્થા પર કોઈ મર્યાદા લાદવામાં આવી નથી. આનો અર્થ એ છે કે સામાન્ય લોકો સસ્તા ભાવે તેમની જરૂરિયાત મુજબની ડુંગળી ખરીદી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વાદ વધારતી ડુંગળી ‘આ’ બીમારીઓથી પણ કરે છે રક્ષણ

આ પણ વાંચો:ડુંગળીના ભાવે જનતાને રડાવી, આટલા રૂપિયા મોંઘી થઈ

આ પણ વાંચો:ડુંગળી-બટાટાના ભાવ આસમાને પહોંચ્યા , મુંબઈ-થાણેમાં સપ્લાયમાં મોટો ઘટાડો