ગાંધીનગરઃ કૉંગ્રેસની ‘બેટી બચાવ યાત્રા’ ગાંધીનગર ખાતે સભા સાથે અંત આવ્યો હતો. સભા બાદ કૉંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવા માટે જ્યારે નિકળ્યા ત્યારે પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જેમા કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી. આ યાત્રાનો પ્રારંભ નલિયાથી નીકળીને ગાંધીનગર સુધીની હતી. જેમા વિવિધ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા.
બીજી તરફ વિધાનસભાની અંદર કૉંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. કૉંગેસના લોકો વેલમાં ઘૂસી આવ્યા હતા. ત્યારે વિધાસનસભામાં એક દિવસ માટે કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.
વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે નલિયા દુષ્કર્મકાંડને લઇન કૉંગ્રેસ દ્વારા ભારે વિરોધ નોધાવવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ પ્રેસ કૉંફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમારા દ્વારા વિધાનસભામાં 116 ની નોટિસ આપી હતી તે નોટિસનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. જેથી અમારો