અમૃતસર,
આજથી લગભગ ૪ વર્ષ પહેલા ઈરાકમાં ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ માર્યા ગયેલા તમામ ભારતીયોના દેહ સાથે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓ પંજાબ પહોંચ્યા હતા. નોધનીય છે કે, માર્યા ગયેલા તમામ ૩૮ વ્યક્તિઓમાંથી સૌથી વધુ ૨૭ પંજાબના છે.
Punjab: Mortal remains of the 38 Indians who were killed in Iraq, brought to Amritsar pic.twitter.com/ALGLHvZ67S
— ANI (@ANI) April 2, 2018
જનરલ વી કે સિંહે જણાવ્યું હતું કે, “મૃતદેહોના DNA મેચ કરવાનું કામ સૌથી મુશ્કેલ હતું. કુલ ૩૮ લોકોના દેહ મળ્યા છે જયારે ૩૯માં દેહનું ડીએનએ મેચ કરવાનું હજી બાકી છે અને ત્યારપછી જ ઈરાકમાં માર્યા ગયેલા તમામ ભારતીય વ્યક્તિના મોત અંગે સ્પષ્ટતા થઇ શકશે”. આ ઉપરાંત ભારતીયોના મૃતદેહોની શોધવા માટે ઈરાકની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદ અંગે વી કે સિંહે ધન્યવાદ કહ્યું હતું.
This is not a game of football, Both state and central govt are sensitive govts, EAM had asked the families for the details of their members who can be given jobs etc, we will review: VK Singh,MoS MEA on whether kin of the 38 Indians will be given jobs pic.twitter.com/J0ryINOc1P
— ANI (@ANI) April 2, 2018
તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, “કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર માટે ભારતીયોના મૃતદેહ લાવવા એ કોઈ ફુટબોલની રમત નથી, આ માટે તમામ સંવેદનશીલ છે. વિદેશ મંત્રાલય દ્વારા આ માર્યા ગયેલા તમામ વ્યક્તિઓના પરિવારજનો પાસે વિગતો માંગવામાં આવશે અને તેઓને નોકરી આપવામાં આવશે”.
પંજાબ સરકાર કરશે મદદ
Ex-gratia compensation of Rs 5 lakh per family, job for one person per family will be given and current pension of Rs 20,000 to continue: Punjab Minister Navjot Singh Sidhu on compensation for 27 of 39 Indians killed in Iraq who were from Punjab pic.twitter.com/KIaHKBrzR5
— ANI (@ANI) April 2, 2018
ઈરાકના મોસુલથી ૩૮ ભારતીયોના મૃતદેહો પંજાબના અમૃતસર એરપોર્ટ પહોચ્યા હતા. ત્યરબાદ એરપોર્ટ પર તેઓના પાર્થિવ અવશેષો લેવા માટે પહોચેલા કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરી હતી. સાથે સાથે તેઓએ મૃતકના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની તેમજ હાલમાં આપવામાં ૨૦૦૦૦ રૂપિયાના પેન્શનને પણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
અમૃતસર પછી કોલકત્તા પહોચશે વાયુસેનાનું વિમાન
અમૃતસર બાદ વાયુસેનાનું વિશેષ વિમાન કોલકત્તા માટે ઉડાન ભરશે, અને ત્યાં સાંજે ૫.૩૦ વાગ્યે પહોચશે. ત્યારબાદ વિમાન બિહારના પટના જવા માટે રવાના થશે અને રાત્રે ૮.૩૦ પહોચશે.
વિદેશ રાજયમંત્રીએ આપી સલામી
ઈરાકમાં મૃતદેહોને વિમાન ચઢાયા બાદ વિદેશ રાજયમંત્રી વી કે સિંહે તેને સલામી આપી હતી. આ દરમિયાન તેઓએ આતંકવાદીઓની આલોચના કરી હતી અને આતંકવાદ સામે કરવામાં આવી રહેલી લડત માટે સરકારનો અભિગમ પણ સ્પષ્ટ કર્યો હતો.
બીજી બાજુ ISISને “ક્રૂર સંગઠન” ગણાવતા તેઓએ જણાવ્યું, “અમારા દેશના નાગરિકો ISISની ગોળીઓના શિકાર બન્યા છે. અમે દરેક પ્રકારના આતંકવાદની વિરુધ છીએ”.
ઉલ્લેખનીય છે કે, ૩૯ મૃતદેહમાંથી ૩૮ના DNA તમામ રીતે મેચ કરવામાં આવી ચુક્યા છે જયારે અન્ય એક દેહનું ૭૦ ટકા ડીએનએ મેચ થયું છે. જેનાથી સાબિત થશે કે મોસુલમાં લાપતા થયેલા તમામ ભારતીયોના મોત થઈ ચુક્યા છે.
વર્ષ ૨૦૧૪માં લાપતા થયા હતા ૩૯ ભારતીયો
મહત્વનું છે કે, જૂન, ૨૦૧૪માં ઈરાકના ઉત્તરી મોસુલ શહેરમાં આતંકવાદી સંગઠન ISIS દ્વારા કબ્જો કર્યા બાદ તેઓએ ભારતના તમામ મજુરોનું અપહરણ કર્યું હતું. જો કે ત્યારબાદ આ તમામ ભારતીયોના મૃત્યુ અંગે અનેક શંકા-કુશંકાઓ સામે આવી રહી હતી પરંતુ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.
ગત ૨૦ માર્ચના રોજ વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, જૂન, ૨૦૧૪માં મોસુલમાં માર્યા લાપતા થયેલા તમામ ભારતીયોનું ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા ચકાસણી કરવામાં આવી ચૂકી છે. તમામ દેહોને જોવામાં આવી રહ્યા છે ત્યારબાદ અવશેષોને બહાર કાઢીને તેઓના ડીએનએ મેચ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
