મુંબઇ
બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સ્ટાર એક્ટર રણવીર સિંહ આ વર્ષે લગ્નના બંધનમાં બાંધવાના છે તેવી ચર્ચા ઘણા સમયથી મળી રહી છે. દીપિકા અને રણવીર છેલ્લા પાંચ વર્ષથી રીલેશનશીપમાં છે. જોકે આ બંને કલાકારો તેમના અંગત જીવનની વાત જલ્દી સામે નથી લાવતા પરંતુ એક ઇન્ટરવ્યુંમાં દીપિકાએ પોતાના અંગત જીવનના ભવિષ્ય વિશેની વાતો જણાવી હતી.
તમને જણાવી દઈએ કે, દીપિકાએ ઇન્ટરવ્યુંમાં શું કહ્યું હતું. દીપિકાએ જણાવ્યું હતું કે, લગ્નએ તેમના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે અને તે તેને નકારવા નથી માંગતી સાથે એ પણ જણાવ્યું કે તે પોતાની જાતને એક માતા અને પત્નીના રૂપમાં જોવા માંગે છે.
મહત્વનું છે કે દીપિકાના આ નિવેદનથી સાબિત થાય છે કે તેના અને રણવીરના લગ્નની ચર્ચા થઇ રહી છે તે ક્યાંક ને ક્યાંક સાચી છે. આ વર્ષે જાન્યુઆરીમાં રણવીરના બર્થડે પર દીપિકા અને રણવીરને સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ જ બંનેના લગ્નની વાત ચર્ચામાં આવી હતી. સાથે સાથે 2018ના આંરભ વખતે બંનેના પરિવારને મળતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ બંનેની સગાઈની વાતો ચર્ચામાં આવી હતી. જોકે આ વાતને દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં નકારી હતી.
મળતી માહિતી મુજબ આ વર્ષે આ બંને લગ્નના તાંતણે બંધાશે. હિન્દુ રીતિરીવાજો સાથે લગ્ન કરશે, તેઓ લગ્નના તેમના નજીકના મિત્રો અને સગા સંબંધીઓને પણ બોલાવશે. સાથે સાથે એ પણ જાણવા મળ્યું હતું કે બંનેના પરિવારોએ તો લગ્નની તારીખ પણ જોવડાવીને રાખી છે.